યુવતિને ભગાડી જવા મુદ્દે યુવાનની હત્યા

1675

શહેરના ભરતનગર વિસ્તારમાં રહેતા એક યુવાનને પ્રેમકરણે સિદસર ગામના પ શખ્સોએ મરણતોલ માર મારતા ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજયું છે.
સમગ્ર બનાવ અંગે જાણવા મળેલ વિગતો અનુસાર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ માલધારી સોસાયટીમાં રહેતો સાગર શિવાભાઈ ચાવડા (ઉ.વ.ર૩) નામનો યુવાન થોડા દિવસ પુર્વે સિદસર ગામે રપ વારીયામાંર હેતી એક યુવતીને પ્રેમ પ્રકરણે ભગાડી સુરત તરફ લઈ ગયો હતો. આ પ્રેમી પંખીડા ગત તા. ૧૧.પ,ના રોજ ભાવનગર પરત ફરતાં યુવાન સાગરને યુવતીના સંબંધી જેમાં પ્રતાપ, વાકુ ખાતર વનરાજ વલકુ, દેવરાજ તથા એક અજાણ્યા શખ્સ મળી કુલ પ શખ્સોએ નારી ચકોડીથી પ્રેમ પંખીડાને આંતરી સાગરને ઢોર માર માર્યો હતો. જેને ગંભીર ઈજા સાથે સર.ટી. હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. જયા સારવાર દરમ્યાન યુવાન સાગરે
આભાર – નિહારીકા રવિયા દમ તોડ્યો હતો. આ અંગે મૃતકના પરિજનોએ વરતેજ પોષ્ટેમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૦ર હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Previous articleદામનગરના જુના મકાનના ખોદકામ દરમ્યાન રાણી સિક્કા મળી આવ્યા
Next articleશહેરમાં આવેલ બે દુકાનમાં તસ્કરોએ કસબ અજમાવ્યો