સર ટી.માં ખોટા બ્લડ ગ્રુપનું લોહી ચડાવવાથી મહિલાના મોતના બનાવમાં પગલા ભરવા માંગ

57

ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં ગત તા.૬ મેના સવારના સમયે ગીતાબેન હસમુખભાઇ સોલંકી (રે.ગારિયાધાર-નાનીવાવડી)નું સારવાર દરમિયાન મોત નિપજેલ. આ બનાવમાં પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, પ્રસુતિ માટે દાખલ કરાયેલ ગીતાબેનને લોહી ચડાવવાની જરૂર પડતા બ્લડ ગ્રુપ બી-નેગેટીવ હોવા છતાં તબીબોએ ઓ-નેગેટીવ બ્લડ ચડાવી દઇ ગુનાહિત બેદરકારી દાખવી હતી. આ બનાવમાં સંબંધિતો સામે સત્વરે પગલા ભરવા ભોગગ્રસ્તના પરિવારજનોએ આજે કલેક્ટરને આવેદન પાઠવી માંગ કરી હતી.

Previous articleજૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં થયેલું વિરોધ પ્રદર્શન
Next articleપ્રિયંકા ચોપરાએ શેર કરી દીકરી માલતીની પહેલી તસવીર