કિસાન આંદોલન દરમિયાન જીવ ગુમાવનાર કિસાનોના પરિવારને ત્રણ લાખની મદદ અપાશે

35

પંજાબ,હરિયાણા અને દિલ્હીના ૭૦૦ કિસાનોના પરિવારને ત્રણેય રાજયોના મુખ્યમંત્રીઓની હાજરીમાં મદદ અપાશે
નવીદિલ્હી,તા.૨૨
દિલ્હીમાં ચાલેલ કિસાન આંદોલન ખુબ મોટુું આંદોલન રહ્યું અને આ દરમિયાન અનેક લોકોના મોત પણ થયા છે.હવે કિસાન આંદોલનમાં જીવ ગુમાવનાર કિસાનોના પરિવારોને આર્થિક મદદ મળશે.શહીદ કિસાનોના પરિવારોને ત્રણ લાખ રૂપિયા આપવામાં આવશે અને આ આર્થિક મદદ પંજાબ હરિયાણા અને દિલ્હીના ૭૦૦ કિસાનોના પરિવારોને આપવામાં આવશે.આ દરમિયાન હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર,દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાજર રહેશે.ત્રણેય મુખ્યમંત્રીઓની હાજરીમાં શહીદ કિસાનોના પરિવારોને આર્થિક મદદ આપવામાં આવશે એ યાદ રહે કે કૃષિ કાનુનને લઇ ચાલેલ આંદોલનમાં સૌથી વધુ પંજાબ હરિયાણા અને દિલ્હીના કિસાનોએ ભાગ લીધો હતો આ દરમિયાન અનેક કિસાનોના મોત પણ થયા હતાં જો કે કેન્દ્ર સરકારે કૃષિ કાનુન પાછો ખેંચી લીધો હતો આથી કિસાનોએ પોતાનું આંદોલન પણ પરત ખેંચી લીધુ હતું. હવે હરિયાણા દિલ્હી અને પંજાબના શહીદ કિસાનોના પરિવારને ત્રણ ત્રણ લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે સૌથી પહેલા તેલંગણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખરે એ જાહેરાત કરી હતી કે આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા કિસાન પરિવારને ત્રણ ત્રણ લાખ આપવામાં આવશે તાજેતરમાં પંજાબના કિસાનોએ પોતાની અનેક માંગોને લઇ ભગવંત માન સરકારની વિરૂધ્ધ મોરચો ખોલ્યો હતો પ્રદર્શનકારી કિસાનોએ ચંડીગઢ સીમા પર તંબુ તાણ્યા હતાં અને સરકારની વિરૂધ્ધ આંદોલન શરૂ કર્યું હતું. ત્યારબાદ પંજાબમાં આમ આદમી પાર્ટીના નેતૃત્વવાળી સરકારે કિસાનોની અનેક માંગોને માની હતી જયારે કિસાનોએ પોતાનું પ્રદર્શન સમાપ્ત કર્યું હતું.

Previous articleભાજપના ઉપાધ્યક્ષ અર્જુન સિંહ ટીએમસી સાથે જોડાયા
Next articleઅથાણાં પૂર્વે બજેટ બગડ્યું!, કેરી સાથે મસાલા પણ મોંઘા