GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

64

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
રપપ. ગુજરાતી ભાષામાં સૌપ્રથમ સોનેટ કાવ્યપ્રકારની રચના કયા કવિએ કરી હતી ?
– બળવંતરાય ઠાકોર
રપ૬. ગાંધીજીએ કયા લેખકને ‘સવાઈ ગુજરાતી’ તરીકે ઓળખાવ્યા હતાં ?
– કાકા કાલેલકર
રપ૭. ‘યામ હોમ કરીને પડો ફતેહ આગે’ આ કાવ્ય પંકિત કયા કવિની છે ?
– નર્મદ
રપ૮. ધોરણ-૮ ગુજરાતીમાં ‘કમાડે ચીતર્યા મેં……’ ગીતના કવિનું નામ કહો.
– તુષાર શુકલ
રપ૯. કવિશ્રી મકરંદ દવેનું વતન કયું છે ?
– ગોંડલ
ર૬૦. ધોરણ-૭ ગુજરાતીમાં ‘ગ્રામમાતા’ કાવ્યનો પ્રકાર જણાવો.
– ખંડકાવ્ય
ર૬૧. કયા સાહિત્યકારે ‘પરિક્રમા નર્મદા મૈયાની’ પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે.
– અમૃતલાલ વેગડ
ર૬ર. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો.
– b-2, a-4, c-1, d-3
ર૬૩. કયા સાહિત્યકારને ગુજરાત સાહિત્ય સભાએ ‘રણજિતરામ સુવર્ણપદક’ આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વીકાર કર્યો હતો ?
– ગૌરીશંકર જોષી
ર૬૪. કલાત્મક રીતે સાદી સરળ વાણીમાં અર્થપૂર્ણ અને માર્મિક વાતો કહેનારા ગઝલનકાર મરીઝનું નામ જણાવો.
– અબ્બાસ અબ્દુલઅલી વાસી
ર૬પ. લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો.
– કેલિડોસ્કોપ
ર૬૬. કલકત્તામાં શેઠ જીવણલાલ (જીવનલાલ)ની પેઢીમાં નોકરી કર્યા બાદ કયા સાહિત્યકારે ગુજરાતી ભાષામાં સંવેદનશીલ અને જોમભર્યા સર્જક તરીકેની નામના મેળવી ?
– ઝવેરચંદ મેઘાણી
ર૬૭. નીચે જણાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ જયંતી દલાલની નથી ?
– નિયતિ
ર૬૮. સુવિખ્યાત કવિતા ‘કુંચી આપો ભાઈજી! તમે કિયા પટારે મેલી મારા….’ના રચયિતાનું નામ જણાવો.
– વિનોદ જોષી
ર૬૯. ‘અમે રે સુકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર’ પંકિતના સર્જકનું નામ જણાવો.
– મકરંદ દવે
ર૭૦. ‘સવાઈ ગુજરાતી’ કાકાસાહેબ કાલેલકરનું જન્મસ્થળ જણાવો.
– સતારા
ર૭૧. નીચે દર્શાવેલા જોડકા યોગ્ય રીતે જોડો
– d-3, c-4, a-2, b-1
ર૭ર. યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈનું જન્મસ્થળ જણાવો.
– શિનોર
ર૭૩. ઉમાંશકર જોષીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને ક્રાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ?
– અખો
ર૭૪. ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણ લીધી હતી ?
– પ્રેમાનંદ
ર૭પ. શેખાદમ આબુવાલાનો કાવ્યસંગ્રહ જણાવો.
– હવાની હવેલી
ર૭૬. ‘પૃથ્વી વલ્લભ’ નવલકથાનો વિષય શો છે ?
– ઐતિહાસિક
ર૭૭. કયા ગુજરાતી લેખકને ગુજરાતના ઈતિહાસ પર નવલકથાઓ લખી છે ?
– ક.મા.મુનશી
ર૭૮. સરળ અને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો કોણે વિરોધ કર્યો હતો.
– કનૈયાલાલ મુનશી
ર૭૯. કયા અંગ્રેજ અમલદારે ગુજરાતના ઈતિહાસના સંશોધન અને સાહિત્યના વિકાસમાં બહુમુલ્ય ફાળો આપ્યો છે ?
– એ.કે.ફોર્બ્સ
ર૮૦. ‘ઉશનસ્‌’એ કોનું તખલ્લુસ છે ?
– નટવરલાલ પંડયા
ર૮૧. મહાત્મા ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરૂદ આપ્યું હતું ?
– રાષ્ટ્રીય શાયર

Previous articleમેડીકલમાં પોસ્ટ ગ્રેજયુએટ કરતા જુનિયર ડોકટર માટે નવા શપથ-આઇ શપથ!!! (બખડ જંતર)
Next articleનેચરસ્ટડી એન્ડ ટ્રેકિંગ કેમ્પ નો આનંદ માણતા સ્કાઉટ ગાઈડ