કાશ્મીરમાં બે મજૂરો પર આતંકીઓએ ફાયરિંગ કર્યું

20

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સતત ટાર્ગેટ કિલિંગ કરી રહ્યા છે, હિંદુઓમાં ભયનું વાતાવરણ
નવી દિલ્હી,તા.૩
કાશ્મીરમાં આતંકવાદીઓની કાયરતાપૂર્ણ પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે. આતંકવાદીઓ હિંદુ અને બિનકાશ્મીરીઓને નિશાન બનાવીને તેમની હત્યા કરી રહ્યા છે. બડગામના ચડુરાના મગરાયપુરામાં બે નોન-લોકલ મજૂરો પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. બંનેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક મજૂરનું મોત થયું છે જ્યારે બીજા મજૂરની સારવાર ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને મજૂરો ઈંટના ભઠ્ઠા પર કામ કરનારા હતા. આ પહેલા ગુરૂવારે સવારે આતંકીઓએ કુલગામમાં એક બેંક મેનેજરની હત્યા કરી દીધી હતી. મધ્ય કાશ્મીરના બડગામના ચડૂરા સ્થિત મગરાયપુરામાં આતંકીઓએ બે નોન-લોકલ મજૂરો પર ફાયરિંગ કર્યું હતું. બંને મજૂરો ઈંટના ભઠ્ઠામાં કામ કરતા હતા. મજૂરો પર ફાયરિંગ કરીને આતંકીઓ નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત બંને મજૂરોને સ્થાનિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. બેમાંથી એક મજૂરની હાલત ગંભીર હતી જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. કાશ્મીરમાં સતત થઈ રહેલા ટાર્ગેટ કિલિંગના કારણે ભયનું વાતાવરણ છે. સતત થઈ રહેલા હુમલાઓએ ત્યાં રહેતા હિંદુઓને ડરાવી દીધા છે. ગુરૂવારે સવારે જ કુલગામમાં એક બેંક મેનેજર વિજય કુમારની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બે દિવસ પહેલા કુલગામમાં જ એક સ્કૂલ ટીચર રજની બાળાની હત્યા કરી દેવામાં આવી હતી. હિંદુઓ પર થઈ રહેલા સતત હુમલાના કારણે કાશ્મીરી પંડિતોમાં ભય ફેલાઈ ગયો છે. કાશ્મીરી પંડિતોએ ખીણમાંથી સામૂહિક સ્થળાંતર કરવાની જાહેરાત કરી છે. ગુરૂવારે બેંક મેનેજર વિજય કુમારની હત્યા બાદ કાશ્મીરી પંડિતોએ તાત્કાલિક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

Previous articleમંકી પોક્સ વિશ્વના ૩૦ દેશમાં ફેલાયો, ૫૫૦થી વધારે કેસ
Next articleપીએમ મોદીએ લખનૌમાં ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની ૩નું ઉદ્ધાટન કર્યું