સૂર્ય નારાયણના પ્રકોપ સામે ઢાલ બની પધારતા વાદળો….

34

છેલ્લા લાંબા સમયથી સૂર્ય નારાયણ પુથ્વી પર પોતાની પ્રખર ગરમી ના એક ચક્રી શાસન થી જનજીવન ને અસહાય હાલત માં મૂકી દેતા લોકો દિગ્મૂઢ બની ગયા હતા. પણ દરેક કાળા ડિબાંગ વાદળ ને સોનેરી કોર હોય છે તેવી જ રીતે વાદળો એ જન મન ની પ્રાર્થના સાંભળી લીધી હોય એમ આકાશ માં ઘસી આવતા લોકો અને સૂર્ય ના અગન બાણ વચ્ચે જાણે કવચ બની ઉભા રહી ગયા હોય તેમ છવાઈ જતા લોકો ના હૃદય માં હવે ” હાશ” દૂર નથી એવો આશાવાદ ઉભો થયો હતો. ઉપરોક્ત તસ્વીરમાં સુર્ય નારાયણ ની આડે આવી ગયેલા વાદળો ને જોઈ જન મન પ્રફુલ્લિત થઈ ગયું હતું.
તસ્વીર સૌજન્ય : જયદીપ એ દવે

Previous articleકુડા થી કોળીયાક સાગર કાઠા નાઈટ ટ્રેકિંગ નો આનંદ માણતા સ્કાઉટ ગાઈડ
Next articleભાવનગરના રુવા ગામે ખાતે અમૃત સરોવરના નિર્માણની કામગીરીનો પ્રારંભ કરાવતાં કલેકટર યોગેશ નિરગુડે