બિટકોઇન તોડ મામલો : કોર્ટે નલિન કોટડિયાને ભાગેડુ જાહેર કર્યા

1712

કરોડોના બિટકોઈન તોડ પ્રકરણમાં કોર્ટે નલિન કોટડિયાને ભાગેડુ જાહેર કર્યા છે. તેની સાથે તેને ૩૦ દિવસમાં કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહેવાનો આદેશ કર્યો છે. નલિન કોટડિયાને ભાગેડુ જાહેર કરવા માટે સીઆઈડી ક્રાઇમે કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી કોર્ટે મંજૂર રાખી હતી. હવે પછી કોટડિયાની મિલકતના ટાંચમાં લેવા માટે પણ સીઆઈડી ક્રાઇમ કોર્ટમાં અરજી કરી શકે છે. નોંધનીય છે કે ૧૭૬ બિટકોઇન પડાવી લેવાના કેસમાં નલિન કોટડિયા આરોપી છે. આ કેસમાં પહેલા જ અમરેલીના એસપી જગદીશ પટેલ, પીઆઈ અનંત પટેલ સહિત પોલીસકર્મીઓની ધરપકડ કરી છે. બિટકોઈન પ્રકરણમાં સીઆઈડી ક્રાઇમે ફરિયાદ કરનાર બિલ્ડર શૈલેષ ભટ્ટ સામે પણ ફરિયાદ નોંધી છે.  આ કેસમાં સીઆઈડી ક્રાઇમે શૈલેષ ભટ્ટના પૂર્વ ભાગીદાર કિરીટ  પાલડીયાની પણ ધરપકડ કરી છે.

ગુજરાતભરમાં ખળભળાટ મચાવનાર બિટકોઇન કૌભાંડમાં એક પછી એક નવા ખુલાસા થઇ રહ્યા છે. બિટકોઇન કૌભાંડમાં બિલ્ડર શૈલેષ ભટ્ટ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન ભારત છોડીને ફરાર થયા હોવાનો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બિટકોઇન કેસના મુખ્ય આરોપી ભારત છોડીને ફરાર થઇ ગયા છે. નલિન કોટડિયા નેપાળમાં હોવાનો ખુલાસો થયો છે. જોકે, કોટડિયા પાસે પાસપોર્ટ ન હોવાને કારણે અનેક સવાલો પણ ઊભા થાય છે. બીજી તરફ બિલ્ડર શૈલેષ ભટ્ટ પણ પરિવાર સાથે ગાયબ થયો છે.

આ કેસમાં થોડા દિવસો પહેલા ઝ્રૈંડ્ઢની ટીમે રાજકોટ માંથી શૈલેષ ભટ્ટના ભાણેજ નિકુંજ જોશીની અટકાયત કરી હતી. ઝ્રૈંડ્ઢની ટીમે નિકુંજ જોશીની અટકાયત પાઠક સ્કૂલ ખાતેથી કરી હતી અને તેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે  જ્યારે ઝ્રૈંડ્ઢની ટીમ અટકાયત કરવા માટે આવી ત્યારે નંબર પ્લેટ વગરની ગાડી લઈને આવી હતી. જેથી લોકોને એવું લાગ્યું હતું કે તેનું અપહરણ થયું છે. જોકે, બાદમાં ખબર પડી હતી કે ઝ્રૈંડ્ઢ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે.

બિટકોઈન મામલે જેના પર ગાળિયો કસાયો છે તે નલિન કોટડિયા કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી મનુ કોટડિયાના ભત્રીજા છે. તેમણે ૧૯૯૫માં સૌપ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને જીત્યા હતા. ૨૦૧૨માં જ્યારે કેશુભાઈ પટેલે ભાજપથી નારાજ થઈને ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી ત્યારે કોટડિયા જીપીપીની ટિકિટ પરથી ધારાસભ્ય બન્યા હતા. જીપીપીમાંથી માત્ર બે જ ધારાસભ્ય ચૂંટાયા હતા, જેમાં કેશુભાઈ પટેલ અને તેમનો સમાવેશ થાય છે. બાદમાં જીપીપી પાર્ટીનું ભાજપમાં વિલિનિકરણ થઈ ગયું હતું. રાજ્યસભાની ચૂંટણી વખતે ભાજપ વિરુદ્ધ બેફાન નિવેદનબાજી કરતા હોવા છતાં કોટડિયાએ ભાજપને મત આપ્યો હતો. ભાજપ વિરુદ્ધ સતત કુપ્રચારથી ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપે તેમને ટિકિટ આપી ન હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleબીજેપીએ પીડીપી પાસેથી સમર્થન પાછુ ખેંચતા કાશ્મીર સરકાર ભાંગી