વેરો ભર્યા વિના દોડતી બસો આરટીઓએ ડીટેઈન કરી

1322

ભાવનગર સહિત રાજ્યભરમાં દોડતી અનેક ખાનગી ટ્રાવેલ્સની બસો આરટીઓમાં નિયમિત ટેક્સ ભરતી ન હોવાની ફરિયાદના આધારે આરટીઓ દ્વારા આજે વહેલી સવારે ચેકીંગ કરીને બાકી વેરા અંગે ત્રણ ખાનગી ટ્રાવેલ્સની બસોને ડીટેઈન કરી હતી અને મુસાફરોને અન્ય બસોમાં રવાના કરાયા હતા.

ભાવનગર આરટીઓ કચેરીના સ્ટાફ દ્વારા આજે વહેલી સવારે નારી ચોકડી ખાતે ચેકીંગ અભિયાન શરૂ કરાયેલ. જેમાં અમદાવાદ, સુરત તરફ જતી બસોનું ચેકીંગ કરવામાં આવેલ અને વરતેજ ચોકડીએ રાજકોટ તરફ જતી બસોનું ચેકીંગ કરવામાં આવેલ. જેમાં છેલ્લા ૩ થી પ માસના બાકી વેરા પેટે ત્રણ બસોને ડીટેઈન કરવામાં આવી હતી. આ કામગીરીમાં આરટીઓ ઈન્સ્પેક્ટર અંકિત પટેલ સહિત સ્ટાફ જોડાયો હતો.

Previous articleશીપયાર્ડમાં જહાજ પરથી પડી જતાં શ્રમીકનું મોત
Next articleપીપાવાવ જમીન મુક્તિ આંદોલન યથાવત, કલેક્ટરને આવેદન અપાયું