ઘોઘા કે.વ. શાળામાં વાલી મિટીંગ ઓરી, રૂબેલા અંગે માહિતી અપાઈ

1399

ઘોઘા કે.વ. શાળામાં તારીખ ર૭-૬-ર૦૧૮ના દિવસે એક વાલી મિટીંગનું આયોજન કરવામાં આવેલ. જેમાં ૯ માસના બાળકથી ૧પ વર્ષ સુધીના તમામ બાળકોને ઓરી અને રૂબેલાની રસી અપાવવા સમજાવવામાં આવ્યું. આવા રોગોને અંધશ્રધ્ધા ન ગણતા યોગ્ય સમયે યોગ્ય સારવાર અપાવવી જોઈએ જેથી આવનારી પેઢી વધારે સુરક્ષિત અને સ્વસ્થ રહે. આવી માહિતી આરોગ્ય શાખાના તમામ કર્મચારીઓ તથા શાળાના આચાર્યઓ આવી આ મિટીંગમાં ઘોઘા ગામના સરપંચ, શાળાના આચાર્ય તથા શિક્ષકો, સીઆરસી તેમજ ગામના ર૦૦ જેટલા વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleબરવાળાના ચોકડી ગામે મંદિરની જગ્યામાં બાંધકામ થતા ઉપવાસ આંદોલનની ચિમકી
Next articleરામપરાથી કોવાયા ગામને જોડતા ધાતરવડી નદીમાં પુલનું લોકાર્પણ