સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા સામે કડક કાર્યવાહી થશે : ગૃહમંત્રી જાડેજા

1388

વોટસએપ, ફેસબૂક, ટ્‌વીટર જેવાં સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા નાના બાળકોના અપહરણ અંગેના વીડિયો કે મેસેજ રાજ્યના વિવિધ જિલ્લા-શહેરોમાં વાયરલ થયા છે તે રાજ્યમાં ભયનો માહોલ પેદા કરનારા તથા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને ખોરંભે પાડનારા છે. આ માટે નાગરિકો ચેતે અને લોકજાગૃતિ દ્વારા આવા ખોટા મેસેજ આગળ ન મોકલે તે અત્યંત જરૂરી છે.

ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજયના અલગ અલગ જિલ્લાઓ, શહેરોમા નાના બાળકોના અપહરણ કરતી ગેંગ આવ્યાના અને બાળકોને ઉપાડી જવા અંગેના સમાચારો સોશિયલ  મીડિયામાં ફરતા થયા છે તે તમામ મેસેજ સદંતર ખોટા અને પાયાવિહોણા છે. જેના થકી રાજયની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ડામાડોળ કરવાનો હીન પ્રયાસ થઈ રહ્યો છે. તેને ડામવા રાજય સરકાર કડક હાથે પગલાં લઈ રહી છે આ માટે નાગરિકો સક્રીય સહયોગ આપે અને આવા મેસેજ સોશિયલ મીડિયા દ્વારા વાયરલ ન કરે તે જરૂરી છે જેથી ભયનો માહોલ પેદા ન થાય. સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવી ગુન્હાહિત ક્રુત્ય છે આવી અફવા ફેલાવનાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમ છતા આવી આધારભુત માહિતી ધ્યાને આવેથી ૧૦૦ નંબર પર પોલીસને જાણ કરવી. કોઈપણ વોટસએપ ગ્રુપમાં આ પ્રકારની માહિતી આવે તો એડમીન તથા અન્ય સભ્યોએ તેને રોકવી જોઈએ અને તેને ડીલીટ કરી આગળ ફેલાતી અટકાવવી જોઈએ. ફેસબૂકમાં પણ આ પ્રકારના મેસેજ કે ખોટા ન્યુઝ જણાય તો તે મેસેજને  ‘છહ્વેજી ઇીર્િં’ કરીને ફેસબૂકને જાણ કરવી જોઈએ જેથી ફેસબૂક પણ આવા મેસેજ દૂર કરી મેસેજને ફેલાતા અટકાવી શકે. મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું હતુ કે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજની તમામ હકીકત પાયાવિહોણી છે. આવી કોઇ બાબતે ભય કે ઉશ્કેરાટમાં આવવુ નહિં અને આવા ખોટા મેસેજ કોઇ પણ પાસે આવે તો તેને અન્ય ગ્રુપમા શેર કરવા નહિં. આ પ્રકારની અફવાઓથી પ્રભાવિત થઈને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાય એવા કોઈ કૃત્યોમાં સહભાગી ન થવા રાજય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે. આવી અફવાઓને કારણે કાયદો હાથમાં લેવાની સ્થિતિમાં આવા કૃત્યો કરનાર લોકો સામે ગુનો દાખલ કરવા સહિતના કાયદેસરના પગલાં લેવામાં આવશે તેવા સંદેશા પણ લોકો સુધી પહોચાડાશે.

ખાસ કરીને આવા કિસ્સાઓમાં દાખલ થયેલ ગુના સંદર્ભે આવી અફવાઓની શરૂઆત ક્યાંથી થયેલ હતી અને તેને ફેલાવામાં કોનો હાથ હતો તે અંગે ઝીણવટભરી તપાસ કરીને સત્વરે આરોપીઓની ધરપકડ માટે પોલીસને જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું છે.

Previous articleભાજપે સૈફુદ્દીનનું પૂતળુ બાળ્યું
Next articleએચ.આર. અંતર્ગત “ટ્રેનીંગ એન્ડ ડેવલોપમેન્ટ” બાબતે વર્કશોપ નું આયોજન