જાફરાબાદ મરીન પોલીસ મથકના PSIને વિદાયમાન

1550

જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ એમ.આર. વરૂની વયમર્યાદા પૂર્ણ થતા તેમનો આજે મરીન પોલીસ સ્ટેશનમાં જ પોલીસ સ્ટાફે વિદાય સમારંભ કરાયો હતો. જેમાં જાફરાબાદ ટાઉનના પીઆઈ સનુરા દ્વારા સાલ અને સાકરપડો આપી વિદાયમાન આપવામાં આવેલ. પીએસઆઈ વરૂએ પોતાની ૩૮ વર્ષની નોકરીમાં કંઈક ઉતાર-ચડાવ જોયા હતા અને નોકરી દરમિયાન ઘણા બધા ઈનામો પણ મેળવ્યા હતા. નિવૃત્તિની સાથે સાથે પોલીસ ઈન્સ્પેક્ટર તરીકેનું પ્રમોશન પણ મળેલું છે. તેમણે ૩૮ વર્ષની નોકરીનો સમયગાળામાં અમરેલી જિલ્લાના બાબરા, બગસરા, ધારી તથા ઝાલાવાડમાં ચોટીલા, મુળી, હળવદ, સાયલા તથા ધ્રોલ અને રાજકોટ સીટીમાં પણ ફરજ બજાવી ચુક્યા છે અને હાલ નિવૃત્ત જાફરાબાદ પોલીસ સ્ટેશનથી થયેલ છે.

Previous articleઅધેવાડાના જીવદયા પ્રેમીઓએ અબોલ પશુનો જીવ બચાવ્યો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે