હું મારા માતા શ્રીદેવીની જેમ જ છું સંવેદનશીલ : જાહ્નવી કપૂર

1005

ફિલ્મ ‘ધડક’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી ચૂકેલી જાહ્નવી કપૂર પર બોલિવૂડના મોટા ફિલ્મી પરિવારની હોવાના કારણે લોકોની અપેક્ષા પર ખરા ઊતરવાનું દબાણ છે. સ્ટારકિડ હોવાના દબાણ પર જાહ્નવી કહે છે કે શૂટિંગ દરમિયાન એ વાત અનુભવાતી નથી, પરંતુ હવે જ્યારે હું લોકોને મળી રહી છું ત્યારે એક પ્રકારનું દબાણ અનુભવું છું.

મમ્મી અને અમારા સમગ્ર પરિવારને કામ માટે ખૂબ જ પ્રેમ અને સન્માન મળ્યું છે. હું એ બધાંનો આભાર માનું છું. હું તે પ્રેમ મારા કામ દ્વારા મેળવવા ઇચ્છું છું. જાહ્નવી માને છે કે તે પોતાની માતા શ્રીદેવીની જેમ સંવેદનશીલ છે અને તેની જેમ જ મીઠાઇની શોખીન છે. આ વર્ષે શ્રીદેવીના કસમયે થયેલા નિધન બાદ તેના માટે ખૂબ જ મુશ્કેલ સમય હતો, પરંતુ તેમાંથી બહાર નીકળવામાં તેના સાવકા ભાઇ અર્જુન કપૂર અને બહેન અંશુલા કપૂરે ખૂબ જ સાથ આપ્યો.

ફિલ્મોમાં આવતાં પહેલાં સોશિયલ મીડિયા સ્ટાર બનેલી જાહ્નવી સોશિયલ મીડિયાને નકલી દુનિયા માને છે. તે કહે છે કે સોશિયલ મીડિયામાં લોકો એવું જ બતાવે છે, જે તેઓ બતાવવા ઇચ્છે છે. તે કહે છે કે મને સારું નથી લાગતું જ્યારે લોકો સોશિયલ મીડિયા પર નકારાત્મક વાત કરે છે.

Previous articleસંજય દત્ત અફઘાન શાસકની ભૂમિકા ભજવશે
Next articleવેરા પેટે ૩૧૧ આસામીઓની મિલ્કતોને સીલ કરાતા ફફડાટ