શહેર કોંગ્રેસ માયનોરિટી વિભાગ દ્વારા પ્રોજેકટ શક્તિનોંધ કાર્યક્રમ યોજાયો

867

ભાવનગર શહેર કોંગ્રેસ માયનોરિટી ડિપાર્ટમેન્ટનાં ચેરમેન તરીકે તાજેતરમાં જ પ્રદેશ કક્ષાએથી અનવરખાન પઠાણની નિયુક્તી કરવામાં આવ્યા બાદ નવી ટીમ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.

આગામી લોકસભાની ચૂંટણીને અનુસંધાને પ્રદેશ કક્ષાએથી આવેલી સુચનાનાં ભાગરૂપે શહેર કોંગ્રેસ માયનોરીટી ડિપાર્ટમેન્ટ દ્વારા શેલારશા ચોક ખાતે પ્રોજેકટ શક્તિનોંધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

આ કાર્યક્રમમાં માયનોરીટી ડિપાર્ટમેન્ટનાં ચેરમેન અનવરખાન પઠાણ, કોંગ્રેસનાં સાજીદ કાઝી, આરીફભાઈ ગોગદા, સોહિલભાઈ ઘીવાળા, તૌસીફ પઠાણ, ઈમરાન શેખ, જાવેદભાઈ સૈયદ, સાજીદભાઈ સોલંકી, વહાલભાઈ હબીબાણી, અજીમભાઈ લાકડીયા, અલીભાઈ ખોખર, અફઝલખાન પઠાણ સહિત ઉપસ્થિત સ્થિત રહ્યા હતા.

Previous articleઅંધઉદ્યોગ શાળાના પ્રમુખ શશીભાઈને રાજયપાલના હસ્તે એવોર્ડ એનાયત
Next articleરાજ્ય સરકાર પાર્કિંગ જગ્યા સિવાયની ઈમારતોને બાંધકામની મંજૂરી નહિ આપે