શપથગ્રહણમાં POKના રાષ્ટ્રપતિ સાથે બેઠા સિદ્ધુ

1031

પાકિસ્તાન તહરિક એ ઈન્સાફ(પીટીઆઈ)ના પ્રમુખ ઈમરાન ખાને શનિવારે એટલે કે આજે પાકિસ્તાનના 22માં વડાપ્રધાન તરીકે શપથગ્રહણ કર્યાં. ઈસ્લામાબાદ સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં સવારે 9 વાગે શરૂ થયેલા શપથગ્રહમ સમારોહમાં રાષ્ટ્રપતિ મમનૂન હુસૈને તેમને શપથ લેવડાવ્યાં. શપથ ગ્રહણ સમારોહમાં ક્રિકેટરથી રાજનેતા બનેલા નવજોત સિંહ સિદ્ધુ, વસીમ અક્રમ, એક્ટર જાવેદ શેખ, પંજાબના નવા ચૂંટાઈ આવેલા ગવર્નર ચૌધરી સરવર, પંજાબ એસેમ્બલીના સ્પીકર પરવેઝ ઈલાહી, રમીઝ રાઝા અને પીટીઆઈના નેતાઓ ઉપરાંત અન્ય લોકો પણ હાજર રહ્યાં હતાં.  સિદ્ધુએ ત્યાં હાજર પાકિસ્તાનના સેના પ્રમુખ કમર જાવેદ બાજવાને ગળે મળીને મુલાકાત કરી. એટલું જ નહીં તેઓ સમારોહમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના રાષ્ટ્રપતિ મસૂદ ખાનની બરાબર બાજુમાં બેઠા. જેનાથી દેશમાં મોટો વિવાદ પેદા થયો છે. સોશિયલ મીડિયા પર લોકો ટીકા કરી રહ્યાં છે.

નવજોતસિંહ સિદ્ધુ પહોંચ્યા હતાં શપથગ્રહણ માટે પાકિસ્તાન
આ બાજુ ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા નવજોતસિંહ સિદ્ધુ વડાપ્રધાન તરીકે પાકિસ્તાન તહરિક એ ઈન્સાફના પ્રમુખ ઈમરાન  ખાનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે શુક્રવારે પાકિસ્તાન પહોંચ્યા હતાં.. સિદ્ધુ વાઘા બોર્ડર દ્વારા લાહોર પહોંચ્યા અને શનિવારે નિર્ધારિત શપથગ્રહણ સમારોહમાં પહોંચશે. લાહોરમાં પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે ‘હું મારા મિત્ર (ઈમરાન)ના આમંત્રણ પર પાકિસ્તાન આવ્યો છું. આ ખુબ વિશેષ પળ છે.’ તેમણે કહ્યું કે ‘ખેલાડીઓ અને કલાકારો અંતર (દેશો વચ્ચે) મીટાવે છે. અહીં પાકિસ્તાની લોકો માટે પ્રેમનો સંદેશ લઈને આવ્યો છું.’ સિદ્ધુએ હિંદુસ્તાન જીવે, પાકિસ્તાન જીવે!નો નારો લગાવ્યો હતો. તેમણે ઈમરાન ખાનના નેતૃત્વમાં પાકિસ્તાન તહરિક એ ઈન્સાફ (પીટીઆઈ) સરકાર દ્વારા દેશમાં આવનારા ફેરફારનું સ્વાગત કર્યું હતું.

Previous articleપાકિસ્તાનના PM ઈમરાન ખાન એક્શનમાં
Next articleરાજસ્થાનથી આવતી લકઝરી બસમાંથી ૮ કિલો ચરસ ઝડપાયું