કેરળમાં પૂરગ્રસ્તોને બચાવવા ઈસરોના પાંચ સેટેલાઈટ રાહત કાર્યમાં મદદમાં લાગ્યા

964

કેરળમાં ધોધમાર વરસાદથી સર્જાયેલી તારાજીને રોકવા અને પૂરગ્રસ્તોને તેમાંથી બહાર કાઢવા માટે જમીન પર દરેક પ્રકારના પ્રયાસો ચાલુ છે, પરંતુ સાથે જ આકાશમાં પણ દરેક સ્થિતિ પર નજર રખાઈ રહી છે. ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઑર્ગેનાઈઝેશન (ૈંજીર્ઇં)ના પાંચ સેટેલાઈટ રાહત કાર્યમાં મદદ કરવામાં મોટી ભૂમિકા નિભાવી રહ્યાં છે. આ માહિતી ઈસરો સાથે જોડાયેલા એક અધિકારીએ આપી છે. ઉલ્લેખનીય છે કે કેરળમાં ભારે પૂરના કારણે સર્જાયેલી તબાહીથી મૃત્યુ આંક ૩૫૦ને પાર પહોંચી ગયો છે. ૯ ઓગષ્ટ બાદ ૧૯૬ લોકોના મોત થયા છે.

ઈસરોના અધિકારીએ જણાવ્યું કે ધરતી પર નજર રાખનારા સેટેલાઈટ ઓશનસેટ-૨, રિસોર્સસેટ-૨, કાર્ટોસેટ-૨ અને ૨છ અને ઈનસેટ ૩ડ્ઢઇ ગ્રાઉન્ડ સ્ટેશન વાસ્તવિક સમયની તસ્વીર મોકલતા હોય છે. જેનાથી પૂરની તિવ્રતા સમજવામાં અને રાહત-બચાવકાર્યની યોજના બનાવવામાં સરળતા પડે છે. તેમણે જણાવ્યું કે આ સેટેલાઈટના મળેલા ડેટાના આધારે પૂરમાં એલર્ટ જાહેર કરવામાં મદદ મળે છે.

સાથે જ એવા સંવેદનશીલ વિસ્તારોને સંતર્ક કરવામાં આવે છે, જ્યાં પાણીનું સ્તર વધુ હોય છે. હવામાન સાથે જોડાયેલી આગાહી પણ જાણી શકાય છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ડેટા હૈદ્રાબાદના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર સ્થિત ડિસિજન સપોર્ટ સેન્ટરમાં પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યાંથી આ ઈસરોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સપોર્ટ પ્રોગ્રામ હેઠળ સમયાંતરે કેન્દ્ર અને રાજ્યોને મોકલવામાં આવે છે.

ઈનસૈટ- ૩ડ્ઢઇ ઈમેજિંગ સિસ્ટમ અને એટ્મસફેરિક સાઉન્ડથી સજ્જ છે. જે તાપમાનથી લઈને ભેજ સુધી આગાહી જણાવે છે. કાર્ટોસોટ અને રિસોર્સસેટમાં કેમેરા હોય છે, જેનાથી આ હાઈ રેઝૉલ્યુશનની તસ્વીરો મોકલી પૂર અંગે ચેતવણી આપે છે.

Previous articleઅટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ, મુસ્લિમ પરિવાર ઇદ મનાવશે નહીં
Next article૧૧૩ કેસમાં આરોપી દિલ્હીની મૉસ્ટ વૉન્ટેડ મમ્મીની ધરપકડ