અટકાયત બાદ સુરતમાં પાટીદારો ધરણાં પર બેસી ગયા હતા

728

પાસ કન્વીનર હાર્દિક પટેલ આજે એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેસે તે પહેલા જ પોલીસે તેની અટકાયત કરી લીધી છે. જેને પગલે પાટીદારોમાં રોષ જોવા મળ્યો હતો. જોકે બાદમાં જામીન પર છુટકારો થયો હતો.

સુરતમાં મિની બજાર ખાતે મોટી સંખ્યામાં હોર્દક પટેલને છોડવાની માંગ સાથે ધરણાં પર બેસી ગયા છે. પાટીદારોના વિરોધના પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.હાર્દિક પટેલ દ્વારા એક દિવસીય પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા પણ જોડાયો હતો. અને હાર્દિક સાથે તેની પણ અટકાયત કરવામાં આવી છે. જેને પગલે સુરતમાં પાટીદારો દ્વારા ઘરણાં કરી વિરોધ નોંધાવાયો હતો.

 

Previous articleપાક.પીએમ ઇમરાને મંત્રીમંડળની કરી જાહેરાત, કુરૈશીને બનાવ્યા વિદેશ મંત્રી
Next articleઅમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ આજથી ગુજરાતની મુલાકાતે