મનપા દ્વારા રસીકરણ માટે ખાસ ડોકટરોની વ્યવસ્થા કરાઈ

930

ગુજરાત સરકાર દ્વારા ૯ માસથી ૧પ વર્ષ સુધીના તમામ બાળકોને મિઝલ્સ – રૂબેલાની રસીથી આરક્ષિત કરવા માટે ૧૬ જુલાઈ, ર૦૧૮ થી અભિયાનની શરૂઆત કરવામાં આવેલ. જેમાં સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધી ૧ કરોડથી વધુ બાળકોને આ રસીથી આરક્ષિત કરવામાં આવેલ છે તેમજ આ રસી સંપૂર્ણ સુરક્ષિત છે.

ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં અત્યાર સુધીમાં રરરપ૦ થી વધુ બાળકોને રસીથી આરીક્ષિત કરવામાં આવેલ છે.

આ અભિયાન તમામ શાળાઓ, આંગણવાડી કેન્દ્રો ખાતે યોજવામાં આવેલ છે. આપણા બાળકને શાળામાં આપેલ તારીખ અને સમયે રસીકરણ કરાવવા નિવેદન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત સરકારની સૂચના અનુસાર ગાંધીનગર શહેરી વિસ્તારમાં પ્રાઈવેટ બાળકોના ડોકટર દ્વારા પણ મફતમાં રસીકરણ કરવામાં આવશે. આ રસીકરણ અભિયાન  બે અઠવાડીયા સુધી ચલાવવામાં આવશે તેવું મહાનગર પાલિકાના  ચીફ હેલ્થ મેડિકલ ઓફીસર ડૉ. કલ્પેશ ગૌસ્વામીએ વાતચીતમાં જણાવ્યું હતું.

Previous articleવોલ્વોનાં ઓપરેશનમાં મોટી ખોટ છતાં ‘મલાઈ ખાવા’ ૨૦૦ બસો ભાડે લેવાશે
Next articleસમગ્ર દેશમાં રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત પ્રથમ ક્રમે :  દિલીપ ઠાકોર