મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો

1216

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર આવી છે. કેબિનેટની બેઠકમાં મોંઘવારીને જોતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. દરેક કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ 2 ટકા વધારી દેવામાં આવ્યું છે. હાલ કેન્દ્ર સરકારના કર્મચારીઓને 7 ટકા મોંઘવારી ભથ્થુ આપવામાં આવે છે. 2 ટકાના વધારા પછી હાલ કેન્દ્રીય કર્મચારીઓને મળનારું મોંઘવારી ભથ્થુ 9 ટકા થઇ જશે.

મોંઘવારી ભથ્થામાં જે વધારો છે, આ વધારો સાતમા વેતન આયોગમાં નક્કી કરેલ ફોર્મ્યૂલાના હિસાબે થશે. આ પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી પછી હવે એક જુલાઇથી આ નિર્ણય લાગુ કરવામાં આવશે. દેશભરમાં 48 લાખથી વધારે કેન્દ્રરીય કર્મચારી છે. આ ઉપરાંત 61 લાખથી વધારે પેન્શનર્સ છે.

આ પહેલા કેન્દ્ગીય મંત્રીમંડળએ મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કર્યો હતો. આ જ વર્ષે માર્ચમાં આની જાહેરાત કરવામાં આવી હતી. આ વધેલી દરો જાન્યુઆરીથી લાગુ થઇ હતી. મોંઘવારી ભથ્થુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવે છે.

Previous articleનોટબંધી પછી 99.3% જૂની નોટો થઇ જમા!
Next articleજર્મન ખેલાડીએ ધ્યાનચંદનો તોડ્યો હતો દાંત