માઓવાદીઓ સાથેના સંબંધ પુરવાર થાય તો સરકાર ધરપકડ કરે : દિગ્વિજયસિંહ

840

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે મંગળવારે સરકારને પડકાર આપ્યો છે કે જો માઓવાદી સાથે તેમનો કોઇ સંબંધ હોય તો સરકાર તેમની ધરપકડ કરી શકે છે. સિંહે સતનામાં જણાવ્યું કે જો હું દોષી હોવ તો હું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને પડકાર આપું છું કે તેઓ મારી ધરપકડ કરીને બતાવે. તેમણે કહ્યું કે ’પહેલા તેમણે મને રાષ્ટ્રવિરોધી ગણાવ્યો હતો, હવે નક્સલી ગણાવે છે. જો આમ હોય તો મારી અહીં જ ધરપકડ કરો.’ સિંહે એવો આરોપ પણ લગાવ્યો છે કે ડાબેરી કાર્યકર્તાઓની ધરપકડ ’ગુજરાત મોડલના શાસનનું ઉદાહરણ છે.

હકીકતમાં બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસે પોતાના શાસનકાળમાં ’માઓવાદ અને નક્સલવાદ’ને મુખ્યપ્રવાહમાં લાવવાની કોશિશ કરી અને એટલે પાર્ટીએ પોતાનું નામ કોંગ્રેસ માઓવાદી પાર્ટી કે પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (માઓવાદી) રાખવું જોઈએ.

એક કોમરેડ તરફથી બીજા કોમરેડને કથિત રીતે લખાયેલો એક પત્ર બતાવતા પાત્રાએ જણાવ્યું કે તેમાં લખવામાં આવ્યું છે કે કોંગ્રેસ તેની ગતિવિધિઓ માટે પૈસા આપવા તૈયાર છે અને આ બાબતે મદદ માટે દિગ્વિજય સિંહનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. પાત્રાએ પત્રકારોને જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સર્વોચ્ચ મહત્વનો વિષય છે.

અને માત્ર રાજનીતિક અવસરવાદિતા માટે રાષ્ટ્રીય સુરક્ષા સાથે ખીલવાડ એક એવી વસ્તુ છે જે કોંગ્રેસ કરતી આવી છે.

Previous articleTeacher’s Day પર રિતિક રોશને શેર કર્યુ ‘Super 30’નું પોસ્ટર
Next articleકલમ ૩૭૦ અને ૩૫-A હટાવી તો સારું નહીં થાય : મેહબૂબા મુફ્તિ