કોંગ્રેસે આપેલ ભારત બંધનું એલાન

1203

ભારતમાં પેટ્રોલ – ડીઝલનો અસહ્ય ભાવવધારો- ખેડુતોના પાકોના પોષણક્ષમ ભાવો- ખોડુતોના દેવા નાબુદી- રાફેલ ખરીદીમાં થયેલ ભ્રષ્ટાચાર અને સામાન્ય આમ જનતાને થઈ રહેલ કફોડી હાલતના વિરોધમાં ભારત સરકારની સરિયામ નિષ્ફળતાઓના વિરોધમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ ભારતબંધના એલાનના અનુસંધાનમાં ગાંધીનગર શહેરના વેપારી વર્ગને તથા સ્કુલ કોલેજ-સંચાલકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે ૧૦ મી સપ્ટેમ્બર, ર૦૧૮ ને સોમવારના રોજ આપના વેપાર ધંધા બંધ રાખી બંધને સમર્થન કરવા અપીલ કરવામાં આવે છે. બાળકો – વિદ્યાર્થીઓને કાલે શાળામાં ન મોકલી વાલીઓને પણ સહકાર આપવા ગાંધીનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવે છે.

Previous articleકોર્પોરેટર દ્વારા નવીન કામના ખાત મૂહુર્ત કરાયા
Next articleગાંધીનગરમાં શેઠ(સી.એમ.)ની શીખામણ ઝાપા સુધી ? દબાણો પૂર્વવત