મગફળી કાંડમાં ગેરરીતિનો સરકારે કર્યો સ્વીકાર, ૩૧,૦૦૦ બોરીઓમાં થઈ ભેળસેળ

669

વિધાનસભાના અંતિમ દિવસે ગુજરાતમાં બહુ ગાજેલા મગફળી કાંડમાં રાજકોટ અને જુનાગઢમાં ખરીદીમાં ગેરરીતિ થઈ હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. ગૃહમાં ઉનાના ધારાસભ્ય પૂંજા વશે પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે સ્વીકાર્યું છે કે, ૩૧,૦૦૦ બોરીઓની ૫૪, ૨૫૫ મણ મગફળીમાં ભેળસેળ થઈ હોવાની કબૂલાત કરી છે. જુનાગઢ અને રાજકોટમાં અંદાજે ૨૨,૮૯,૦૦૦થી વધુની કિંમતની મગફળીમાં ભેળસેળ થઈ હોવાનો ખુલાસો થયો છે.

Previous articleબ્રોડકાસ્ટરને ખેલાડીઓની પસંદગીનો અધિકાર નથીઃ BCCI
Next articleસાબરકાંઠા પાસે ૨ પદયાત્રીને કાળ ભરખ્યો, કારની અડફેટે પ્રાણ પખેરું ઉડ્‌યું