ભારત પોતાની ક્ષમતા અનુસાર ગ્રોથ પ્રાપ્ત કરવા ઈચ્છે છે : જેમી ડાઈમન

932

દુનિયાના મોટા દેશોમાં ભારતનો જીડીપી ગ્રોથ સૌથી વધારે છે. જીએસટી જેવા રિફોર્મ અને સરકારી બેંકાના મર્જરની દિશામાં લેવામાં આવેલા નિર્ણયો પણ ખૂબ મહત્વ ધરાવે છે. આના મુકાબલે ભારતના મૈક્રો ઈકોનોમી પડકારો મોટા નથી. જેપી મોર્ગનના સીઈઓ જેમી ડાઈમને આ વાત કહી છે.

જેપી મોર્ગનના ભારતમાં ૩૪,૦૦૦ એમ્પ્લોયઝ છે. તેઓ અહીંયા રોકાણ અને હાયરિંગ વધારવા જઈ રહ્યા છે. તેમનું માનવું છે કે યોગ્ય રેગ્યુલેશનથી ભારત પોતાની ક્ષમતા અનુસાર ગ્રોથ પ્રાપ્ત કરી શકશે. ડાઈમને જણાવ્યું કે વડાપ્રધાન મોદી રાજનૈતિક રીતે મજબૂત છે. એટલા માટે ભારતને જેવી કડક પોલીસીની જરુર તેવી પોલીસી તેઓ લાવી રહ્યા છે. આ કામ સરળ નથી હોતું. તેમણે જણાવ્યું કે જો ભારત પોતાની ક્ષમતા અનુસાર ગ્રોથ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તો તેણે આકરા નિર્ણયો લેવા પડશે.

આ વર્ષે જૂનના ત્રિમાસીક ગાળામાં દેશનો જીડીપી ગ્રોથ ૮.૨ ટકા રહ્યો હતો જે દુનિયાના મોટા દેશોમાં સૌથી તેજ હતો. ભારતે ગત વર્ષે જીએસટી જેવું રિફોર્મ કર્યું હતું અને બૈડ લોન રિકવરી માટે બેંકરપ્સી જેવો કાયદો પણ બનાવ્યો હતો. જો કે આ વર્ષે રુપિયાનું પ્રદર્શન એશિયાઈ ઈમર્જિંગ માર્કેટમાં સૌથી ખરાબ રહ્યું છે. ડાઈમને જણાવ્યું કે અત્યારે જે વિદેશી રોકાણકારો અહીંયાથી પોતાનું રોકાણ પાછું ખેંચી રહ્યા છે તે લોકો ભૂલ કરે છે.

ડાઈમનની ઓળખ એવા સીઈઓના રુપમાં છે કે જેમણે ૨૦૦૮માં વૈશ્વિક નાણાકિય સંકટનો નીડરતાપૂર્વક સામનો કર્યો હતો. ડાઈમને જણાવ્યું કે અત્યારે ઘણા દેશોમાં વ્યાજદરોમાં વધારો થઈ રહ્યો છે અને વિદેશી રોકાણકારો ઈમર્જિંગ માર્કેટમાંથી રકમ પાછી લઈ રહ્યા છે પરંતુ લીમેન જેવા સંકટની શક્યતાઓ નથી.

Previous articleરાજ્યમાં સ્વાઇન ફ્લૂએ ઊંચક્યું માથું
Next articleવાયુસેનાના ડેપ્યૂટી ચીફ એર માર્શલે રાફેલની સવારી કરી