પાલિતાણામાં યુવાને ગળફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો

863

પાલિતાણા ખાતે યુવાને આજ.ે સવારના સમયે પોતાના ઘરે હુક સાથે દોરી વડે ગળેફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો.  બનાવની જાણ થતા પોલીસ સ્ટાફ દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ પાલિતાણામાં સીતાબા પ્રસુતી ગૃહની પાછળ રહેતા નિરજભાઈ ભરતભાઈ પરમાર (ઉ.વ.રર)-ે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પાલિતાણા પોલીસે પુછપરછ કરતાં નિરજભાઈને દારૂ પીવાની ટેવ હોય જેથી પરિવારજનોએ ઠપકો આપતા લાગી આવતા આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

Previous articleચિત્રા ફુલસર વોર્ડમાં યોજાય ગયેલો સેવા સેતુ કાર્યક્રમ
Next articleઅપહરણના ગુનામાં એક વર્ષથી વોન્ટેડ ભદ્રાવળ-રના બે ઝડપાયા