કલ્ચરલ ફોરમના આંગણામાં નવરાત્રી દરમિયાન અખંડ પ્રજ્જવલિત રહેશે

875

અંબાજીથી પધારેલી દિવ્ય જ્યોતનું ગાંધીનગરના સેક્ટર- ૮ ના ત્ર્યંબકેશ્ર્‌વર મહાદેવ મંદિર પાસે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.  ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્તભાઈ જહા અને નાગરિકોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને જ્યોતનું સ્વાગત કર્યું હતું. ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા ગ્રાઉન્ડમાં અંબાજીથી પધારેલી આ દિવ્ય જ્યોત નવરાત્રી દરમિયાન અખંડ પ્રજ્જવલિત રહેશે.

ગાંધીનગરના  તમામ ગરબાવૃન્દોના ભાઈ-બહેનો, કલાકારો અને સેક્ટર ૮ વસાહત મંડળના આગેવાનો  ઉત્સાહભેર શોભાયાત્રામાં જોડાયા હતા. મા આદ્યશક્તિની આરાધનાના પર્વ શારદીય નવરાત્રીનો ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં આરંભ થયો છે.

ગાંધીનગર કલ્ચરલ ફોરમના સમર્પણ ગરબા ગ્રાઉન્ડમાં અંબાજીના૭૧ ફૂટ ઊંચા ગબ્બરનું નિર્માણ કરાયું છે. ગબ્બરના સાનિધ્યમાં ચોકમાં રંગબેરંગી ભાતીગળ વસ્ત્રોમાં શોભતા ખેલૈયાઓએ મન મુકીને ગરબે રમવાનું શરૂ કરી દીધું છે.

Previous articleખેલમહાકુંભ તાલુકા કક્ષાની ખો-ખોમાં ધમીજની છાત્રાઓ વિજેતા
Next articleવાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ અપ એન્ડ ટેક્નોલોજી સમિટનો પ્રારંભ