નવરાત્રિ ગરબા ઉત્સવમાં સહભાગી થતા વિજયભાઈ રૂપાણી

1111

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે આદ્યશક્તિની આરાધનાંના પર્વ નવરાત્રિ નિમિત્તે રાજ્યના સનદી અધિકારીઓના પરિવારજનો દ્વારા આયોજિત આઇ.એ.એસ. વાઇવ્ઝ વેલ્ફેર એસોસિએશન નવરાત્રિ ગરબા ઉત્સવમાં ગાંધીનગરમાં ઉપસ્થિત રહ્યા હતા.

તેમણે માં જગદંબાની આરતી ભકિત ભાવપૂર્વક કરી હતી અને ગરબા નિહાળ્યા હતા. એસોસિએશનના પ્રમુખ અને મુખ્ય સચિવ ડો.જે. એન. સિંહ ના ધર્મપત્ની તેમજ મુખ્ય સચિવે મુખ્યમંત્રી ને આવકાર્યા હતા.આ ઉમંગ અવસરમાં  રાજ્યના વરિષ્ઠ આઈ.એ.એસ. અધિકારીઓ અને પરિવારજનો જોડાયા હતા

Previous articleશૂટિંગમાં મનુ ભાકર અને બેડમિન્ટનમાં લક્ષ્યએ જીત્યો સિલ્વર
Next articleગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટ અંતર્ગત યુવાઓને એવોર્ડ વિતરણ.