રાહુલ ગાંધી : રાફેલ મુદ્દે સવાલ ઉઠાવવા બદલ જ સીબીઆઇનાં ડાયરેક્ટરને પોતાનું પદ ગુમાવવું પડ્યું

762

સીબીઆઇ ડાયરેક્ટર આલોક વર્માને રજા પર ઉતારી દેવાના નિર્ણયનો વિરોધ કરતા રાહુલ ગાંધીએ સરકાર પર શાબ્દિક સરસંધાન કર્યું હતું. સીબીઆઇ ડાયરેક્ટરને રાત્રે બે વાગ્યે વડાપ્રધાને સત્તાઆંચકીને રજા પર ઉતારી દીધા જે દેશના સંવિધાનનું અપમાન હોવાનું રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ પ્રકારનું પગલું દેશનાં સંવિધાન, સીજેઆઇ અને વિપક્ષ તથા દેશની જનતાનું અપમાન છે. આ પ્રકારનું પગલું ન માત્ર બિનસંવૈધાનિક પરંતુ ગુનાહિત છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમને સીબીઆઇ ડાયરેક્ટર પદ પરથી હટાવાયા તેના સમાચાર દેશના નાગરિકોની જેમ જ વહેલી સવારે મળ્યા હતા, જ્યારે તેમને મોડી રાત્રે હટાવી દેવાયા હતા. રાહુલ ગાંધીએ ફરી એકવાર આરોપ લગાવતા જણાવ્યું કે, રાફેલ મુદ્દે સવાલ ઉઠાવવાનાં કારણે સીબીઆઇ ડાયરેક્ટરને હટાવી દેવાયા છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે સીબીઆઇ ડાયરેક્ટરને રાત્રે 2 વાગ્યે હટાવવામાં આવ્યા. તેમની ઓફીસને સીલ કરવામાં આવી અને જે દસ્તાવેજ તેમની પાસે હતા તે લઇ લેવામાં આવ્યા. પુરાવાઓ અને અધિકારીઓને દબાવવામાં પ્રયાસો થઇ રહ્યા છે.

Previous articleસરકાર 827 પોર્ન વેબસાઇટ બ્લોક કરશે
Next articleગુજરાતની સૌથી મોટી દિવાળી ૩૧ ઓક્ટોબરે આવી રહી છે : પીએમ મોદી