જાફરાબાદ તાલુકામાં એકતા રથયાત્રાનું થયેલું પ્રસ્થાન

686

આજે જાફરાબાદ તાલુકામાં સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટિની અબજો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ નર્મદા ડેમ જે સમસ્ત ગુજરાતનું ગોરવ હોય જે ગમે તેવા દુષ્કાળમાં નર્મદા મૈયાનું પાણી ગુજરાતના ગામો ગામ અને ઘર ઘર સુધી કાયમ આપણે પીએ છીએ.  સરદાર સરોવરમાં દુનિયાની સૌથી ઉંચી લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની લોખંડની જ પ્રતિમાનું અનાવરણ થઈ જવાના થોડા દિવસો જ બાકી હોય ત્યારે સમસ્ત ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ સરદાર એકતા રથ દ્વારા લોકોને ઘર ઘર સુધી આવા મહાન પુરૂેષો રાષ્ટ્રની અને ગુજરાતની જનતામાં કાયમ પ્રજલીત રહે તે માટે સરદાર વલ્લભભાઈ પટેલની ઈતિહાસિક સ્ટેચ્યુ ઓફ યુનિટિ એકતા  રથ જયારે અમરેલીમાં આવી ગયો છે આજે ખાંભા તાલુકા બાદ તા. ર૬-૧૦-ર૦૧૮ જિલ્લાના હોનહાર એકતારથના ઈન્ચાર્જ જેનું ભાજપ પક્ષે મોટું યોગદાન છે. જેણે વર્ષોથી પજ્ઞને વફાદાર રહી સંસદની ચૂંટણી હોય કે ૯૮ વિધાનસભાની ચૂંટણી હોય કે તાલુકા જીલ્લાની ચૂંટણીઓમાં ભાજપ પક્ષ તમામ જવાબદારી રવુભાઈ ખુમાણ ઉપર સોંપતા હોય છે અને હાઈકમાન્ડ દ્વારા હાલ અમરેલી જીલ્લાના ભાજપ આજે તા.ર ૬ લોઠપુરથી શરૂઆત કરતા સરપંચ રાણાભાઈ ગ્રામ આગેવાન ધીરૂભાઈ ખુમાણ તેમજે જાફરાબાદ તાલુકામાં હીરાભાઈ સોલંકી, ચેતનભાઈ શિયાળ, કમલેશભાઈ મકવાણા, ભાજપ પ્રમુખ દિનેશભાઈ, વિજાણંદભાઈ વાઘેલા, છગનભાઈ ભાજપ મંત્રી દ્વારા દબદબાભર્યુ સ્વાગત કરાશે. રાજુલા ભાજપ તાલુકા પ્રમુખ ભોળાભાઈ લાડુમોર સાથે રહી રાજુલા તાલુકામાં સ્વાગતની તૈયારી કરી રહ્યા છે.

Previous articleપીપાવાવ રિલાયન્સ નેવલ દ્વારા વરૂણ નામના જહાજનું લોન્ચીંગ
Next articleમહુવામાં બીજા દિવસે એસઆરપીના ચુસ્ત બંદોબસ્ત સાથે બજારો ખુલ્લી