ભારત ત્રીજો સૌથી શ્રીમંત દેશ બનવાના માર્ગે : મુકેશ અંબાણી

688

દેશના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ મંગળવારે કહ્યું કે ભારત દુનિયાનો ત્રીજો સૌથી શ્રીમંત દેશ બનવાના માર્ગ પર છે. તેમણે કહ્યું કે પ્રથમ ત્રણ ઔદ્યોગિક ક્રાંતિ બાદ ભારત ઔદ્યોગિક પંસદ યુવા આબાદીના બળે હવે ચોથી ઔદ્યોગિક ક્રાંતિની આગેવાની કરવાની સ્થિતિમાં છે. અંબાણીએ ૨૪મા મોબીકેમ સંમેલનને સંબોધિત કરી અહીં કહ્યું કે ભારતનો ડીજીટલ ફેરફાર ઈનકેડિબલ અને અનઅપેક્ષિત છે. તેમણે કહ્યું કે દેશના વાયરલેસ બ્રોડબેન્ડના મામલામાં લગભગ ૨૪ મહીનામાં ૧૫૫મા સ્થાનથી સર્વોચ્ચ સ્તરનો સફર નક્કી કર્યો છે.

અંબાણીએ યાદ અપાવ્યું કે ૧૯૯૦ના દાયકામાં જ્યારે રિલાયન્સ ઑઈલ રિફાઈનરી અને પેટ્રોકેમિકલ પ્રોજેક્ટ બનાવી રહી હતી, ભારતનું ઘરેલુ ઉત્પાદન (જીડીપી) લગભગ ૩૫૦ અબજ ડૉલર હતું અને દેશ ખૂબ જ ગંભીર આર્થિક સંકટમાંથી બહાર આવ્યો હતો. તેમણે કહ્યું, ‘ખૂબ જ ઓછા લોકોએ વિચાર્યુ હશે કે આપણા દેશની સંભાવનાઓ ખૂબ જ ઉજ્જવલ છે. આજે અમારી જીડીપી લગભગ ત્રણ હજાર અબજ ડૉલરની થઈ ગઈ છે અને અમે વિશ્વના ત્રીજા સૌથી અમીર દેશ બનવાના માર્ગે છે. અંબાણીએ કહ્યું કે મોબાઈલ કોમ્પ્યુટિંગ મેક્રો સ્તર પર ડેટાની અછત માટે ઉત્પ્રેરક છે અને તેણે યુવા ભારતીયોને વ્યાપક ફેરફારવાળી વિચારધારા માટે ઉર્વર જમીન આપી છે. તેમણે કહ્યું, હું  વિશ્વાસ સાથે કહી શકુ છું કે આગામી બે દાયકામાં ભારત વિશ્વની આગેવાની કરશે.

Previous articleબિહારના નેતા મોહમ્મદ શહાબુદ્દીનની આજીવન સજા સુપ્રિમએ યથાવત રાખી
Next articleસરદાર પટેલની મૂર્તિ બનાવી તેના કરતાં જીવતાં લોકોનું જીવન સુધાર્યુ હોત તો સારું હતું : રાજ ઠાકરે