અર્બુદા પરિવાર ટ્રસ્ટ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનુ સન્માન કરાયુ

1057

અંબાજી મંદિર ગીયોડ ખાતે અર્બુદા પરિવાર ટ્રસ્ટ છાલા અને ગાંધીનગર વિભાગ દ્વારા ૧૪ મો તેજસ્વી તારલાઓને સન્માનવાનો સમારોહ યોજવામાં આવ્યો હતો.

સમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનુ સન્માન તેમજ પ્રથમવાર સમાજના મુખ્ય ધંધા દુધ ઉત્પાદન કરતાં પ્રથમ ત્રણ કુટુંબોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ગાયના દુધમાં રપ લાખનું વાર્ષિક વેચાણ કરનાર તાજપુરના અમૃતભાઈ વીરાભાઈ ચૌધરીને પ્રથમ, છાલાના રમેશભાઈ છબાભાઈને ૧૮ અને છાલાના સુરેશભાઈ બાબુભાઈને ૧૬ લાખને અનુક્રમે બીજુ અને ત્રીજું ઈનામ અપાયું હતું.

તે જ પ્રમાણે ભેંસના દૂધમાં ર૩ લાખ વાર્ષિક વેચાણ કરનાર દશેલાના બાબુભાઈ ગમાભાઈને પ્રથમ, છાલાના મનુભાઈ જીવાભાઈને ૧૧ અને છાલાના ગેમરભાઈ નાથુભાઈ દેસાઈને ૯ લાખને અનુક્રમે બીજુ અને ત્રીજું ઈનામ અપાયું હતું.

વિશેષ આમંત્રિત તરીકે અશોકભાઈ ચૌધરી તેમજ પ્રમુખ દિલીપભાઈ આર. પટેલ અને ઉપપ્રમુખ નાથુભાઈ એમ. ચૌધરીનો સમગ્ર કાર્યક્રમમાં સિહફાળો રહ્યો હતો.

Previous articleઅડાલજ ત્રિમંદિરમાં દાદા ભગવાનની ૧૧૧મી જન્મ જ્યંતી ઉજવણી : મુખ્યમંત્રીની ઉપસ્થિતી
Next articleકોંગ્રેસ અને ગાંધીની વાતો કરનાર ભાજપ આરએસએસમાં મુસ્લિમને બેસાડે : શંકરસિંહ વાઘેલા