જિલ્લા પુસ્તકાલય, સેકટર-૨૧ ખાતે રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી કરાઇ

858

સરકારી જિલ્લા પુસ્તકાલય, સેકટર-૨૧, ગાંધીનગર દ્વારા રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણીના  ભાગરૂપે તા. ૧૬મી નવેમ્બર, ૨૦૧૮ ના રોજ પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રદર્શનને સીનીયર સીટીઝન અને  નિવૃત્ત મદદનીશ નિયામક (માહિતી ખાતું) ડાહ્યાલાલ એસ. ગાંધીના હસ્તે ખુલ્લુંં મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિધાર્થીઓને વ્યસન છોડવા, સ્વચ્છતા જાળવવી, ગૌરવશાળી ભારત રાષ્ટ્રના નિર્માણ માટે કાર્ય પોતાના થકી કરવું, જેવા સંકલ્પ લેવા અંગેનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.

આ પુસ્તક પ્રદર્શનનો ખૂબ બહોળા પ્રમાણમાં લાભ લેવા તમામ વાચકો, વિધાર્થીઓ તેમજ ગાંધીનગરના નગરજનોને જિલ્લા ગ્રંથપાલ ર્ડા. જયરામ દેસાઇએ અનુરોધ કર્યો છે

Previous articleકોબા ખાતે વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી
Next articleભાજપાને રામ-રહિમમાં નહીં વોટબેંકમાં જ રસ : શક્તિસિંહ ગોહિલ