પરીક્ષા રદ સરકાર માટે શરીમજનક – પરેશ ધાનાણી

1403

લોકરક્ષક દળની પરીક્ષા છેલ્લી ઘડીયે રદ થતાં વિપક્ષ કોંગ્રેસ તરફથી પણ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ભાજપના રાજમાં સરકારી કાર્યક્રમોમાં પોલીસનો પટાવાળાની જેમ ઉપયોગ થાય છે. લોકરક્ષક દળની પરીક્ષા છેલ્લી ઘડીયે રદ કરવામાં આવતાં લાખો નિર્દોષ ઉમેદવારો રઝળી પડયા છે અને સરકારના વાંકે તેમને ભયંકર હાલાકીનો ભોગ બનવુ પડયુ છે. સરકાર માટે આ સમગ્ર બાબત બહુ શરમજનક અને નાલેશીભરી કહી શકાય.

Previous articleભરતીના નામે લાખો યુવાનોના ભવિષ્ય સાથે સરકાર દ્વારા ચેડા – શક્તિસિંહ
Next articleપરીક્ષાર્થીઓને સરકારે વળતર આપવું જોઈએ : અમીત ચાવડા