માણસામાં ચોરી-લૂંટફાટના વધતા જતા કેસો મુદ્દે કોંગ્રેસનું આવેદનપત્ર

597

માણસા શહેરમાં ચોરી લૂંટફાટના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યાં હોવાના દાવા સાથે માણસા કોંગ્રેસ દ્વારા મામલતદાર અને નગરપાલિકાના ચીફ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસે તંત્ર બેદરકાર અને ભાજપ સરકાર ઉંઘતી હોવાના આક્ષેપ સાથે જો પ્રજાનો અવાજ સાંભળવામાં નહીં આવે તો ટૂંક સમયમાં માણસા બંધનું એલાન આપવાની ચીમકી ઉચ્ચારી હતી. આ કાર્યક્રમમાં માણસા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleકલોલમાં હોમગાર્ડ સ્થાપના દિનની ઉજવણી
Next articleકલોલ પંચાલ સમાજનો સ્નેહમિલન સમારંભ યોજાયો