ભારતીય જનતા પાર્ટી આગામી લોકસભી ચૂંટણીમાં બોલિવૂડ સ્ટાર માધુરી દિક્ષીતને પૂનાની લોકસભા ટિકીટ આપે તેવી શક્યતા છે. ભાજપનાં સુત્રોએ જણાવ્યું છે કે, ભાજપનાં રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ થોડા મહિનાઓ પહેલા મુંબઇમાં માધુરી દિક્ષીતને મળ્યા હતા અને નરેન્દ્ર મોદીની સરકારની સિદ્ધીઓથી અવગત કર્યા હતા. ભાજપનાં એક સીનિયર નેતાએ જણાવ્યું હતું કે, પૂના લોકસભા બેઠક માટે માધુરી દિક્ષીતનું નામ પંસદ કરવામાં આવ્યું છે. ભાજપ આ મામલે ગંભીર રીતે વિચારી રહ્યું છે કે માધુરી દિક્ષીતને ટિકીટ આપવી. આ બેઠક તેમના માટે યોગ્ય રહેશે તેવું તારણ છે”.
૫૧ વર્ષની માધુરી દિક્ષીતે અનેક હિંદી ફિલ્મોમાં અભિનય કર્યો છે જેમાં હમ આપકે હે કૌન, દિલ તો પાગલ હે, સાજન, તેજાબ અને દેવદાસ સહિતની ફિલ્મોનો સમાવેશ થાય છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે પૂનાની બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી. ભાજપનાં ઉમેદવાર અનિલ શિરોલએ આ બેઠક ત્રણ લાખ મતોથી જીતી હતી.
ભાજપ શા માટે માધુરી દિક્ષીતને ટિકીટ આપવાનું વિચારે છે ? આ સવાલનાં સંદર્ભમાં ભાજપનાં નેતાએ જણાવ્યું કે, આ એક રણનીતિનો ભાગ છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે આ રણનીતિ અપનાવી હતી. સ્થાનિક ચૂંટણીઓમાં સિટીંગ સભ્યોને ટિકીટ નહી આપી નવા નિશાળીયાઓને ઉતાર્યા હતા અને તેમાં સફળતા મળી હત