સિંહના ૪ નખ સાથે ૩ની ધરપકડ, ધારી રેન્જના સિંહના નખ હોવાનું ખુલ્યું

1364

જૂનાગઢમાં સિંહનાં ૪ નખ સાથે સાથે ત્રણ શખ્સોની વન વિભાગે ધરપકડ કરી છે. ઝડપાયેલા બે શખ્શો પૈકી એક તાલાલાનાં રાયડી ગામનો અને એક શખ્સ ધારીનો હોવાની વાત સામે આવી છે. ભાવનગરનાં મહુવાનાં ગુંદરણ ગામના વ્યક્તિને બે નખની ડિલિવરી આપવા જતા શખ્સો ઝડપાયા છે. ભાવનગર વન વિભાગે ગોઠવેલ છટકામાં બે શખ્સ આબાદ ફસાયા હતા. ભાવનગર વન વિભાગે વેટરનરી અને હ્લજીન્ દ્વારા સિંહના નખ અસલી હોવાની પુષ્ટિ કરી છે. જેને પગલે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

સિંહના નખ સાથે પકડાયેલા શખ્શ તાલાલાનાં રાયડી ગામના દાનાભાઈ દેવાયતભાઈ ગરાણીયા અને જીલુભાઈ ભીખાભાઈ કામલીયા વન વિભાગે રંગે હાથે ઝડપી લીધા છે. નખ દીપડાના હોવાનું આરોપીઓનું રટણ સામે વન વિભાગ દ્વારા ઊંડાણ પૂર્વકની તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

ધારીના પાનિયા રેન્જમાંથી પાંચ વર્ષ પહેલા એક સિંહના મૃતદેહ માંથી નખ લીધા હોવાની કાબુલાત આરોપી દ્વારા કરવામાં આવી હતી. મહત્વનું છે, જુનાગઢ, ધારી, અને દલખાણીયા રેન્જમાં હાલમાં વાયરલ લાગવાને કારણે આશરે ૨૩ જેટલા સિંહોના મોત થયા હતા. સવાલ એ થાય છે, કે આ લોકો પાસે સિંહનો મૃતદેહ આવ્યો ક્યાંથી? અને પાંચ વર્ષ પહેલા સિંહના મૃતદેહમાંથી આ આરોપીઓ દ્વારા ધારીના જંગલોમાં જઇને સિંહના મૃતદેહમાંથી નખ કાઢ્યા ત્યાં સુધી વન વિભાગ શું કરી રહ્યું હતું.?

Previous articleરાજયમાં ઠંડીનું પ્રભુત્વ : ૧૧.૭ ડીગ્રી સાથે કંડલા એરપોર્ટ ઠંડુગાર
Next article‘આંતરરાષ્ટ્રિય માનવ અધિકાર દિવસ’ નિમિત્તે બ્રહ્માકુમારીઝ ખાતે વિશેષ સેમિનાર