પૂર્વ CM કેશુભાઇએ તબીયત બગડતાં ગાંધીનગર સિવિલમાં સારવાર લીધી

703

ગુજરાય રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ શનિવારે મોડી સાંજે સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લવાયા હતા. છેલ્લા ઘણા દિવસથી શરદી-તાવ અને ખાંસી સહિતની તકલીફોને લઈને તેઓ શનિવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તાત્કાલિક સારવાર વિભાગમાં ડૉ. અરુણ મકવાણા દ્વારા તેમનું ક્લિનિકલ તપાસ કરવામાં આવી હતી. આ સાથે તેમનો છાતીનો એક્સ-રે પણ કરાવવામાં આવ્યો હતો, જે નોર્મલ હતો. જેથી તેમને જરૂરી દવા અને સારવાર આપવામાં આવી હતી.

Previous articleપુરાવો શોધવા આરોપી યશપાલને લઈને પોલીસ દિલ્હી જવા રવાના
Next articleપૂનમ માડમની દીકરી શિવાનીનું સિંગાપોરમાં નિધન