RBI બોર્ડની આજે મહત્વની બેઠક : કેટલાક મુદ્દાઓ છવાશે

554

સ્વાયત્તા અને અન્ય મુદ્દાઓ ઉપર કેન્દ્ર સરકાર સાથે મતભેદો વચ્ચે આવતીકાલે રિઝર્વ બેંકની સેન્ટ્રલ બોર્ડની બેઠક યોજાઈ રહી છે. આ બેઠક ઉપર કોર્પોરેટ જગત, શેરબજાર અને અન્ય તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. બોર્ડમાં આરબીઆઈના ગવર્નન્સ સ્ટ્રક્ચર પર ચર્ચા કરવા એક કમિટિની રચના કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. ઉપરાંત ફાઈનાન્સિયલ સિસ્ટમમાં લિક્વિડીટીની પરિસ્થિતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. રીઝર્વ બેંકની પ્રથમ સેન્ટ્રલ બોર્ડની બેટક આવતીકાલે યોજાનાર છે. જેમાં જુદા જુદા પાસા પર ચર્ચા કરવામાં આવનાર છે. બેઠકમાં નાણાંકીય વ્યવસ્થામાં લિક્વિડિટીની વ્યવસ્થા પર ચર્ચા કરવામાં આવનાર છે. આરબીઆઇના નવા ગવર્નર તરીકે શક્તિકાંત દાસ સામે કેટલાક પડકારો રહેલા છે.

તેમની સામે સુધારાને લઇને પણ પડકારો છે. મળેલી માહિતી મુજબ આરબીઆઇમાં ગવર્નન્સ સુધારાને લઇને કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવેલા સુચન પર પણ પ્રાથમિક ચર્ચા કરવામાં આવી શકે છે. જો કે નાણાંકીય વ્યવસ્થામાં લિક્વિડીટીની સ્થિતી પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે. આરબીઆઇમાં ગવર્નન્સ માળખા પર ચર્ચા કરવા માટે એક સમિતિ પર પણ વિચારણા કરવામાં આવનાર છે. આરબીઆઇમાં સુધારા હાથ ધરતા પહેલા કેટલાક નવા પડકારો દાસની સામે રહેલા છે. બંધ બારણે યોજાયેલી બેઠકમાં પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલના ગાળામાં લેવામાં આવેલા ચોક્કસ નિર્ણયને લઇને કેન્દ્ર સરકારે નારાજગી વ્યક્ત કરી હતી. આરબીઆઇ દ્વારા જે રીતે કેટલાક નિર્ણય કરવામાં આવ્યા હતા તેને લઇને નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.આવતીકાલે યોજાનારી બેઠકમાં પ્રાથમિકતામાં જે મુદ્દા નક્કી કરવામાં આવ્યા છે તે મુદ્દા ઉપર જ વાતચીત કરવામાં આવશે. મુંબઈમાં મિડિયાને સંબોધતા શક્તિકાંતે કહ્યું હતું કે, યોજના મુજબ જ તમામ નિર્ણયો લેવામાં આવશે. શક્તિકાંત દાસ હાલમાં ફાઈનાન્સ કમિશનના સભ્ય તરીકે હતા. છેલ્લા ઘણા વર્ષથી તેઓ જુદા જુદા હોદ્દા ઉપર કામ કરી ચુક્યા છે. છેલ્લે નાણામંત્રાલયમાં આર્થિક બાબતોના વિભાગના સેક્રેટરી તરીકે હતા. નોટબંધી વેળા તેમની ભૂમિકા ખુબ મહત્વપૂર્ણ રહી હતી. આરબીઆઈ સાથે ખુબ નજીકના અંતરથી કામ કરવાનો તેમને અનુભવ રહેલો છે. બેંકોની મૂડી જરૂરિયાતો અને લિક્વિડીટી કટોકટીને લઇને મતભેદો રહી ચુક્યા છે. આરબીઆઈ માટે સુધારા એજન્ડા પર તેમને આગળ વધવાનું રહેશે. સાથે સાથે સરકાર અને આરબીઆઇ વચ્ચે જે મતભેદો ઉભા થયા છે તે મતભેદોને પણ દૂર કરવાની પણ તેમની જવાબદારી રહેશે. બોર્ડની બેઠકમાં નાણામંત્રી અરુણ જેટલી અને ઉર્જિત પટેલ દ્વારા લેવામાં આવેલા નિર્ણયના સંદર્ભમાં ચર્ચા કરવામાં આવશે. આરબીઆઈના પૂર્વ ગવર્નર બિમલ જાલનને પેનલના વડા તરીકેની જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે.

Previous articleઆગામી વાઈબ્રન્ટમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા વિશિષ્ટ પ્રદર્શન યોજાશે
Next articleઆધાર સાથે વોટર આઈડી જોડવાની પ્રક્રિયા ટૂંકમાં શરૂ