મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ તા. ૧પ-૧ર-ર૦૧૮ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે આપવામાં આવી. ભારતના મહાન લોખંડી પુરૂષનું બિરૂદ પામનાર સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી માટે કરેલા કાર્યો તથા તેમના જીવન ચરિત્રોનું સ્મરણ કરી તેમની પ્રતિમાને સુતર આટી પહેરાવી – પુષ્પાંજલિ આપવામાં આવી હતી. કુલસચિવ ડો. કૌશિકભાઈ એલ. ભટ્ટ, નાયબ કુલસચિવ (એકેડેમિક, સામાન્ય વિભાગ), મુખ્ય હિસાબી અધિકારી, શારીરિક શિક્ષણ વિભાગના નિયામક યુનિવર્સિટી કાર્યાલયના વિવિધ વિભાગોના અધિકારીઓ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી કર્મચારી પરિવારના પ્રમુખ, વહીવટી કર્મચારીઓ, નગરના શિક્ષણવિદ્દો ઉપસ્થિત રહ્યા હતાં.