મહાભારતમાં આમિર ખાન ભજવશે શ્રીકૃષ્ણનું પાત્ર

1165

બોલીવુડનો સુપરસ્ટાર આમિર ખાન અત્યારે પોતાના ડ્રીમ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. આમિર ખાન અત્યારે ‘મહાભારત’ પર પોતાની ટીમ સાથે રીસર્ચ કરી રહ્યો છે. આ પ્રોજેક્ટ પર આમિર ખાન બહુ જ જલ્દી કામ શરૂ કરશે. આ પ્રોજેક્ટને લઇને શાહરૂખ ખાને તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે. અત્યાર સુધી એ સ્પષ્ટ નહોતુ કે આમિર ખાન આ ફિલ્મમાં કયુ પાત્ર ભજવશે, પરંતુ હવે શાહરૂખ ખાને આ વાતનો ખુલાસો કર્યો હતો.તાજેતરમાં પોતાની ફિલ્મ ‘ઝીરો’નાં પ્રમોશનને લઇને શાહરૂખ ખાને એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે, આમિર ખાન ‘મહાભારત’માં ભગવાન શ્રીકૃષ્ણનો રૉલ કરશે. તો શાહરૂખ ખાને જણાવ્યું કે તેને કર્ણનું પાત્ર સૌથી વધારે પસંદ છે, પરંતુ તે કૃષ્ણનું પાત્ર જ નીભાવશે. ઉલ્લેખનીય છે કે આમિર ખાન છેલ્લા ઘણા સમયથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. હવે સમાચાર છે કે આમિર ખાન ‘મહાભારત’ પર ફિલ્મ નહીં, પરંતુ વેબ સીરીઝ બનાવશે. જેનાં ૭ અલગ અલગ ભાગ હશે.

Previous article૩૧ ડિસેંબર સુધી હું હૈદરાબાદમાં, સાહોના શૂટિંગમાં બીઝી : શ્રદ્ધા કપૂર
Next articleટેસ્લાનાં સીઈઓને પસંદ પડી ‘બાજીરાવ મસ્તાની’, ‘મલ્હારી’નું જીઆઈએફ શેર કર્યું