દહેગામ, બાયડ હાઇ-વે પર વાહને ટક્કર મારતા બાઇકચાલકનું મોત

724

દહેગામ બાયડ હાઇ-વે પર આવેલી આદિત્ય પેપર મિલ પાસેના ખાંચા પાસેથી બાઇક લઇ ગાંધીનગર તરફ જતાં તાલુકાના કડજોદરા તાબેના પાટો ગામના યુવાનની બાઇકને તે માર્ગ પરથી પસાર થઇ રહેલા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા યુવાનના માથા તથા મોઢા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નિપજ્યુ હતુ. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક નાસી છુટતાં રખિયાલ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકાનાં કડજોદરા તાબેના પાટો ખાતે રહેતો રાજુસિંહ ભેમસિંહ ઝાલા ઉ.વ.૨૩ નામનો યુવાન જી.જે.૧૮ સીડી ૭૫૬૧ નંબરનું બાઇક લઇ રવિવારે બપોરે ગાંધીનગર તરફ જવા નિકળ્યો હતો. દરમ્યાન દહેગામ બાયડ હાઇવે પર આદિત્ય પેપર મિલ નજીકના ખાંચા પાસેથી જઇ રહ્યો હતો. તે સમયે અજાણ્યા વાહન ચાલકે રાજુસિંહની બાઇક લઇને ટક્કર મારતાં તેના માથા, મોઢા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યુ હતુ.

અકસ્માત કરી અજાણ્યો વાહન ચાલક નાસી છુટતાં રખિયાલ પોલીસે રામસિંહ ફતેસિંહ ઝાલાની ફરિયાદ આધારે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે. આ અંગેની વધુ તપાસ પીએસઆઇ વી બી દેસાઇ ચલાવી રહ્યા છે.

દહેગામ-બાયડ હાઇવે પર અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા બાઇકચાલક યુવાનનું મોત નિપજતાં ઘટનાસ્થળે ટોળા ઊમટ્યા હતા.

Previous articleપૂર્વ વડાપ્રધાન સ્વ. અટલજીના જન્મદિન નિમિત્તે ધોળકા ખાતે મેડિકલ કેમ્પ યોજાયો
Next articleસીએમ વિજયરૂપાણીના હસ્તે ૬૬૬ કરોડના વિકાસ કાર્યોનો ઈ-લોકાર્પણ અને ખાતમુર્હુત કરાયુ