સાક્ષાત યમરાજના દર્શન કરાવતો ઘાંઘળીથી વલ્લભીપુર સુધીનો હાઈ-વે

1101

ભાવનગર રંગોલી ચોકડીથી લઈ કરદેજ, ઉંડવી, નેસડા, ઘાંઘળી, ચમારડી, વલ્લભીપુર આટલા ગામો વચ્ચે આવતા બ્રીજની દુર્દશા જુઓ તો સરકારીબાબુઓને ખબર પડે કે રોડ ખરેખર સાક્ષાત યમરાજના દર્શન કરાવતો છે. હજુ થોડા સમય પહેલા ચમારડી પાસે આખે આખી મીની બસ પુલ નીચે ખાબકતા ઘણા મુસાફરો મોતને ભેટ્યા હતા ત્યારે ઘાયલોને દવાખાના સુધી પહોંચાડવા રીતસરની ૧૦૮ તથા એમ્બ્યુલન્સો ઓછી પડી રહી હતી. ઘટના પાછળનું મુખ્ય કારણ રોડ જવાબદાર છે. ભયંકર વળાંકો હોવા છતા કોઈ સાઈન બોર્ડ (દિશાસુચક) મુકવામાં આવ્યા નથી. પુલ પરની મોટાભાગની રેલીંગો છે નહીં ઉબડખાબડ રોડને હિસાબે અસંખ્ય એકસીડેન્ટો થાય છે છતા નિંભર તંત્ર બાબતે કોઈ યોગ્ય પગલા નથી લેતું.

રોડ મોટો ફોરલેન બનાવવા માટે અનેક લોકો મેદાને આવ્યા પરંતુ રાજકારણ નડે છે પછી શું ? લોકોને પ્રાથમિક સુવિધાઓની જરૂર છે. વલ્લભીપુર, સિહોર, પાલીતાણા, અમદાવાદ જવા રોડનો ઉપયોગ થાય છે ત્યારે ઘાંઘળીથી ભાવનગરઅમદાવાદ હાઈવે શરૂ થાય છે પરંતુ હાઈવે પર નિર્દોષ વાહન ચાલકો ભોગ બને છે તો અંગે વહેલી તકે ઉકેલ આવે તે જરૂરી છે. જો ઉકેલ નહીં આવે તો ચોક્કસ સાબીત થાય કે રાજકારણીઓ તથા તંત્રને માત્ર આવા બનાવોમાં રસ છે.

થોડા સમયે પહેલા માત્ર જાહેરાતો થઈ હતી કે ભાવનગરઅમદાવાદ વાયા વલ્લભીપુર પાસે નવીનીકરણ થઈ પહોળો બનશે પરંતુ માત્ર કાગળ પર ડેવલોપીંગ જોવા મળી રહ્યું છે. નાળાઓ તુટેલા, રોડ ઉબડખાબડ બન્ને સાઈડ નીચાણવાળો વિસ્તાર રોડથી જમીન આશરે ૧પ ફુટ નીચે છે એટલે ઉપરથી સ્લીપ થયેલું વાહન સીધુ ૧પ ફુટ નીચે ખાબકે ખાબકેલું વાહન રોડ નીચે ઉતર્યા બાદ ૧પ ફુટ નીચે કઈ પોઝીશનમાં હોય વાહન હાંકનાર સીધો મોતને ભેટે છે. હાલ ઘાંઘળી પાસે જીઆઈડીસી પણ ડેવલોપ થઈ રહી છે. મોટામોટા પ્લાન્ટો શરૂ થઈ ગયા છે ત્યારે જીઆઈડીસીમાં આવતા વાહનો પણ કોઈ સાઈડ બતાવ્યા વગર વાળી દેવામાં આવે છે પણ જ્યારે અન્ય વાહન ચાલકોને જોલા લાગે કે શિયાળામાં ટોપીમફલર નહીં પણ બાઈક ચાલકોનો કફન લઈને નિકળતા હોય તેવું લાગી રહ્યું છે જેથી વહેલી તકે તંત્ર આળસ મરડી યોગ્ય ઉકેલ લાવે તે ઈચ્છનિય છે.

Previous articleઆંગણવાડી કેન્દ્રમાં અનાજ વિતરણનો કાર્યક્રમ યોજાયો
Next articleરેલ્વે દ્વારા જવાહર મેદાન પાસે, એસ્ટેટ વિભાગે નિલમબાગ પાસેથી દબાણો હટાવ્યા