રેલ્વે દ્વારા જવાહર મેદાન પાસે, એસ્ટેટ વિભાગે નિલમબાગ પાસેથી દબાણો હટાવ્યા

739

ભાવનગર શહેરમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુબેશ ચાલી રહી છે જેના ભાગરૂપે મહાપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના નિલમબાગડેરી રોડ પરથી ગેરકાયદેસર લારીગલ્લા તથા ઓટલાના દબાણો હટાવાયા હતાં. અને ૭૦ ફુટનો રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો. દબાણ હટાવના પગલે લારીગલ્લા ધારકોમાં રોષ ફેલાયો હતો જયારે ભાવનગર રેલ્વે દ્વારા આજે જવાહર મેદાન પાસેની રેલ્વેની જમીનમાં થયેલા ઝુપડા સહિતના દબાણો હટાવાયા હતાં. જો કે રેલ્વેના જમીન ઉપર વારંવાર ઝુપડા બનાવી દેવાતા હોય કાયમી ઉકેલ લાવવો પણ જરૂરી છે.

Previous articleસાક્ષાત યમરાજના દર્શન કરાવતો ઘાંઘળીથી વલ્લભીપુર સુધીનો હાઈ-વે
Next articleસિંધુનગરમાં જાહેરમાં જુગાર રમતા આઠ ગેમ્બલરો ઝબ્બે