શેરથામાં જમીન દલાલની ગોળી મારી હત્યા અને લૂંટ

838

શેરથા ગામે જમીન દલાલી અને ખેતી કરતા વ્યક્તિની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. હત્યા કર્યા બાદ હત્યારાઓ તેઓએ પહેરેલા સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. અડાલજ પોલીસે હાલ વધુ તપાસ શરૂ કરી છે. શેરથા ગામે આવેલા મોટા વાસમાં રહેતા જુઠાજી ઠાકોર (ઉ.વ.૪૫) જમીન દલાલી અને ખેતીનું કામ કરે છે. આજે સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ જુઠાજી ખેતરે જવા નીકળ્યા હતા. ટીટોળાં રોડ પર સરકારી નાળા પાસે પહોંચ્યા ત્યારે અજાણ્યા શખસે તેમના પર ફાયરિગ કરી હત્યા કરી નાખી હતી. હત્યારાએ તેમને પહેરેલા ૧૧ તોલા દાગીના પણ લૂંટી લીધા હતાં. અડાલજ પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોચીં તપાસ હાથ ધરી હતી. અડાલજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.બી. પઢેરિયા એ જણાવ્યું હતું કે એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. લૂંટના ઈરાદે જ હત્યા કરાઈ હોવાનું જણાય છે, તેઓને કોઈની સાથે દુશ્મનાવટ નહોતી. પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે.

Previous articleનેહવાલે ઇન્ડોનેશિયન માસ્ટર તાજ જીત્યો
Next articleપ્રિયંકા ગાંધી ગુજરાતની મુલાકાત લે તેવું આયોજન