ભક્ત દાસારામ બાપુની જન્મજયંતિ ઉજવાશે

1072

સગર જ્ઞાતિના સંત શિરોમણી ભક્ત દાસારામ બાપુની ૩૭૯મી જન્મજયંતિ મહાસુદ બીજના દિવસે તા.૬-ર-ર૦૧૯ને બુધવારે શ્રધ્ધા અને ભાવપૂર્વક ઉજવવામાં આવશે. તેમના જન્મ સ્થળ બાલાગામ ઉપરાંત ઉપલેટા, જુનાગઢ, જારેળા, અમદાવાદ, સાવરકુંડલા, મહુવા, તળાજા, ભાવનગર સહિતના સ્થળે ઉજવવામાં આવશે તેમ ભાવનગર સગર જ્ઞાતિના પ્રમુખ નટુભાઈ એમ. સગર દ્વારા જણાવવામાં આવેલ છે. વધુમાં તેઓએ જણાવેલ છે કે બીજના દિવસે લક્ષ્મણજી મંદિર વડવા દેવજી ભગતની ધર્મશાળા પાસે સાંજે પ-૩૦ કલાકે બટુક ભોજન રાખવામાં આવેલ છે. દાસારામ બાપુએ સવંત ૧૬૯૬ના મહાસુદ બીજના દિવસે અવતાર ધારણ કરેલ હતો અને સવંત ૧૮૦પના અષાઢ સુદ બીજના દિવસે જળસમાધી લીધેલ હતી.

Previous articleઉત્તરાયણમાં ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપ્યા બાદ મુક્ત કરાયા
Next articleબે મહિનાથી વિખુટા પડેલા પરિવારનું ફરી મિલન કરાવતી બોટાદ ૧૮૧ ટીમ