પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ રક્તદાન કરી પ્રેરણાદાયી સંદેશો આપયો

569

ભાવનગરની વળીયા આટર્સ અને મહેતા કોમર્સ કોલેજ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં શહેરની કેપીઈએસ ગુરૂકુળ સ્વામી નારાયણ, જ્ઞાનમંજરી એન્જીનીયરીંગ કોલેજ, વળીયા આટર્સ કોલેજ, મહેતા કોમર્સ કોલેજ, વગેરેના વિદ્યાર્થી ભાઈઓ, બહેનોએ  ઉત્સાહપુર્વક રક્તદાન કર્યુ હતું. જેમાં દસ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ રક્તદાન કરી પ્રેરણદાયી ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. સર.ટી. હોસ્પિટલની બ્લડ બેંકની ટીમે રક્તદાન કેમ્પમાં મુખ્ય કાર્ય કરેલ. આ પ્રસંગે ઈન્દુભાઈ ચતુર્વેદા ફાઉન્ડેશન તરફથી રક્તદાતાઓને પ્રોત્સાહક કીટ આપવામાં આવેલ રક્તદાતાઓને મોટીવેટ કરવા અતિથિ વિશેષ રાજેશભાઈ મહેતા (૧૭૦ વખત રક્તદાન કરેલ) પ્રો. હીમલભાઈ પંડયા, ડો. સુનિલભાઈ શર્મા રેડક્રોસ  સોસાયટીના ચેરમેન ડો. મિલનભાઈ દવે, ડો. અધિશભાઈ ત્રિવેદી, પ્રિન્સીપાલ પરેશભાઈ, સંજયભાઈ પરાંજયે વગેરે ઉપસ્થિત રહેલ.

Previous articleવિધાનસભા વિપક્ષ નેતા ધાનાણી લાઠી તા.પં.ની સરપ્રાઈઝ મુલાકાતે
Next articleગાંધી વિચાર પદયાત્રામાં વિદ્યાર્થીનીઓ જોડાઈ