મોદીએ બાળકોને ૩૦૦ કરોડમી થાળી પીરસી

563

વડાપ્રધાન મોદી NGO અક્ષય પાત્ર ફાઉન્ડેશનનાં ૩૦૦ કરોડમી થાળી પીરસવાનાં કાર્યક્રમમાં હાજરી આપવા માટે સોમવારે ઉત્તરપ્રદેશ પહોંચ્યા હતા. તેમણે અહીં ચંદ્રોદય મંદિરમાં પ્રભુપાદજીની પ્રતિમાને માળા અર્પણ કરી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો. ત્યારબાદ ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ રામ નાઈક સાથે અક્ષય પાત્રની ૩૦૦ કરોડમી થાળી શાળાનાં બાળકોને આપીને તેમાં ભોજન પીરસ્યુ હતુ. તેમણે બાળકો સાથે વાતચીત પણ કરી હતી. તેમની સાથે બાહુબલી ફિલ્મનાં ડાયરેક્ટર એસએસ રાજમૌલી અને શેફ સંજીવ કપૂર પણ હાજર રહ્યા હતા.

Previous articleજુલાઇ સુધી પીવાના પાણીની કોઈ જ સમસ્યા નથીઃ નીતિન પટેલ
Next articleખાસ રાજ્યના દરજ્જાની માંગ સાથે નાયડુની હડતાળ