ગમ અને ગુસ્સો । દિલ્હી સહિત સમગ્ર દેશમાં પાકિસ્તાનનો સફાયો કરવાની માંગ સાથે લોકો રસ્તા પર

536

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગઈકાલે થયેલા આતંકી હુમલાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. લોકોમાં ગમ અને ગુસ્સાનો માહોલ ચરમસીમા પર દેખાયો હતો. સમગ્ર દેશમાં ઠેર-ઠેર લોકો રસ્તા પર આવ્યા છે અને આતંકવાદ અને પાકિસ્તાનનો જડમૂળમાંથી સફાયો કરવાની માંગણીઓ કરાઈ છે. પાકિસ્તાન મુર્દાબાદના નારાઓ સાથે ઠેર-ઠેર પાકિસ્તાનનો ઝંડો અને આતંકીઓના પુતળા સળગાવવામાં આવ્યા છે અને લોકોનો આક્રોશ ચરમસીમા પર છે.

Previous articleઆતંકીઓએ કિંમત ચૂકવવી પડશે : મોદી
Next articleNMMS પરીક્ષામાં ભલગામડાની શાળાનો વિદ્યાર્થી જીલ્લા કક્ષાએ પ્રથમ