ગાંધીનગરમાં પુલવામામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ

787

ગાંધીનગરમાં ઠેર ઠેર પુલવામાં શહિદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી આપવાના કાર્યક્રમો યોજાયા હતા. સેકટર – ૧૧માં વેપારીઓ તથા નાગરિકો દ્વારા કેન્ડલ સળગાવીને પ્રાર્થના દ્વારા જવાનોને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી. ઉપરાંત પાઠ્‌યપુસ્તક મંડળ કર્મચારી એસોસિએશન પરિવાર વતી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી, આ ઉપરાંત જમ્મુ કાશ્મીરના શહીદ જવાનોને બહેરા-મૂંગા શાળાના બાળકોએ શ્રદ્ધાંજલિ અર્પી હતી. જ્યારે, કલોલ વખારિયા કેમ્પસની આટ્‌ર્સ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા ઝ્રઇઁહ્લ ના વીર જવાનોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી હતી.

Previous articleરાજ્યભરના પ્રાથમિક શિક્ષકો દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં
Next articleઆતંકવાદી હુમલાના વિરોધમાં ગુજરાતમાં સ્વયંભૂ બંધ