ઓમ ઈન્ટરનેશનલ વિદ્યાસંકુલ દ્વારા શહિદોને શ્રધ્ધાંજલિ અપાઈ

678

ઓમ ઈન્ટરનેશનલ વિદ્યા સંકુલ- કુંભારીયામાં સૈનિકોની શહાદતને વંદના કરવા માટે સવારે શ્રધ્ધાજંલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એમની ચેતનાની શાંતિ માટે શાળા વિદ્યાર્થીઓ દ્વારા શ્રીમદ ભાગવત ગીતાના પુરૂષોત્તમ યોગનું પઠન તથા બાળ સહજ દેશભાવના પ્રસ્તુત કરવામાં આવી હતી. આ ઉપરાંત શાળા પરિવાર દ્વારા મૌન પાળીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.  સાંજના સમયે શાળાના શ્રધ્ધા સુમન અર્પણ કરવાના હેતુથી શાળામાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાન સંકિર્તનત્થા શ્રધ્ધા સુમન ખર્પણ કરવામાં આવ્યા હતાં. આ સત્રમાં ખાસ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતાં. રાત્રીના સમયે શાળાના છાત્રાવાસમાં રહીને અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા કેન્ડલમાર્ચ દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શાળા દ્વારા વિદ્યાર્થીઓ વડે શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

Previous articleવૈશ્નવ પરિવારનું ગૌરવ-વ્રિષ્ટિ
Next articleવકીલ ઉપર થયેલા હુમલાનો ભાવનગરનાં ત્રણેય બાર એસો. દ્વારા કરાયેલો વિરોધ