સિદ્ધુજી, વધુ વાતો કરવાથી બકવાસ થઇ જાય છે : અનૂપમ ખેર

740

પોતાનાં નિવેદનને કારણે નવજોત સિંહ સિદ્ધુને ’ધ કપિલ શર્મા શો’માંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તેને પુલવામામાં થયેલાં આતંકી હુમલા બાદ વિવાદિત નિવેદન આપ્યું હતું. જમ્મૂ કશ્મીરનાં પુલવામામાં ૧૪ ફેબ્રુઆરીનાં રોજ આતંકી હુમલાથી આખો દેશ શોકગ્રસ્ત છે. અને નવજોત સિંઘ સિદ્ધુનાં નિવેદનની ઠેર ઠેર નિંદા થઇ રહી છે. નવજોત સિંહ સિદ્ધુનાં નિવેદનને કારણે તેને કપિલ શર્મા શોથી હાથ ધોવો પડ્યો છે. અને તેનો સતત વિરોધ પણ થઇ રહ્યો છે. હવે સિદ્ધઉને લઇને અનુપમ ખેરે પણ મોટી વાત કહી દીધી છે. એક્ટર અનુપમ ખેરે નવજોત સિંહ સિદ્ધુને ટિ્‌વટર પર ફેન્સ સાથે વાતચીતમાં કમેન્ટ કરી છે એક ફેને અનુપમ ખેરને પુછ્યુ કે, ’કોમ્યુનિસ્ટને શું સજા આપવી જોઇએ? તેમાં પણ નવજોત સિંહ સિદ્ધુ?’ તેનાં જવાબમાં અનુપમે લખ્યું કે, ક્યારેક ક્યારેક જ્યારે આપ વધારે વાતો કરો છો તો આપનાંથી બકવાસ વાતો પણ થઇ જાય છે. આપને જણાવી દઇએ કે અનુપમ ખેરે ટિ્‌વટર પર આસ્ક અનુપમ હેશટેગ ચલાવ્યું હતું જે હેઠળ એક ફેને અનુપમ ખેરને આ સવાલ કર્યો હતો.

Previous articleરિલેશનશિપમાં છું એનો મતલબ એ નહીં કે લગ્ન કરી લઉંઃ આલિયા ભટ્ટ
Next articleરાજસ્થાન ક્રિકેટ એસો.એ પાકિસ્તાન ક્રિકેટરોની તસ્વીરો હટાવી