પીએમ મોદી ૪ માર્ચે મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કરશે : નિતીનભાઈ પટેલ

496

ગુજરાત રાજ્યના ઉપ મુખ્યમંત્રી અને નાણામંત્રી ગુજરાત વિધાનસભામાં બજેટ શત્ર દરમિયાન બજેટ પૂર્વે કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે આગામી ચાર માર્ચના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે. અને તેમના હસ્તે મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરાશે. આમ એપરલ પાર્કથી વસ્ત્રાલ સુધીના મેટ્રો ટ્રેન રૂટને શરૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં મુસાફરો મેટ્રો ટ્રેન શરૂ થવાનું કાઉન્ટ ડાઉન થઈ રહ્યું છે. જે અંતર્ગત મેટ્રોના અધિકારીઓ દ્વારા વધુ એકવાર ટ્રેનનો પહેલા ફેઝનો વસ્ત્રાલથી એપેરલ પાર્કનો સાડા છ કિલોમીટરના ટ્રેક રુટનો ટ્રાયલ રન કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મેટ્રો ટ્રેનને એપરલ પાર્કથી અમરાઇવાડી તરફ જતા એલીવેટેડ કોરીડોર પર અંત્યત ધીમી ગતિએ ચલાવવામાં આવી હતી.

Previous article૭૫ વિદ્યાર્થીઓએ મુંડન કરાવી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી
Next articleથાનગઢ દલિત હત્યાકાંડનો રિપોર્ટ જાહેર કરાશે નહિ : જિગ્નેશ મેવાણીના પ્રશ્નનો જવાબ